12.2.10

અક્રમવિજ્ઞાન- દાદાવાણી




ચૌદ લોકના નાથ પ્રગટ થયેલા કઇ રીતે અનુભવાય ?
જગતના જીવમાત્ર જોડે એક્તા લાગવી જોઇએ. ભેદ-અભેદ લાગવું ના જોઇએ.  એક્તા જ લાગ્યા કરે એટ્લે કોઇનો દોષ દેખાય જ નહીં. નિર્દોષ જ દેખાય બધું, એ જ પુર્ણ દશા.


પ્રેમ એટલે
આ બધું હું જ છું , હું જ દેખાઉં છું .
પ્રેમસ્વરૂપ એટલે શું?
કે બધું અભેદભાવે જોવું , અભેદભાવે વર્તન કરવું, અભેદભાવે ચાલવું,
અભેદભાવ જ માનવો.
ખરી રીતે ,
જગત જેમ છે તેમ જાણે,
પછી અનુભવે
એને તો પ્રેમસ્વરૂપ જ થાય.

જગત જેમ છે તેમ એટ્લે શું?
કે કોઇ જીવ કિંચિત્માત્ર દોષિત નથી, જીવમાત્ર નિર્દોષ જ છે. ભેદબુધ્ધિથી દોષિત દેખાય છે. જેની ભેદબુધ્ધિ ગઇ , જેને અભેદતા ઉત્પન્ન થઇ ત્યાં દોષિત જેવું કૈં છે જ નહીં.
જગતમા પ્રેમ જ છે.

જ્યાં સુધી દોષિત દેખાય છે ત્યાં સુધી કશું જ પામ્યો નથી.
અભેદ દ્રષ્ટિ થૈ એ ભગવાન કહેવાય.

બધા સાથે બેસાડીને મને કોઇ ગાળો ભાંડે,
ત્યારે હું કયા ઉપયોગમાં (ભાવમાં)રહું?
હું જ બોલું છું ને હું જ સાંભળું છું , એવા ઉપયોગમાં રહું.

દેહમાં, મનમાં, વાણીમાં, 'હું' પણું રાખે છે, તેનાથી ભગવાન છેટા રહે છે
અને ' સ્વરૂપ 'માં 'હું'પણું રાખે છે, તેની સાથે ભગવાન  અભેદ થઇ જાય છે!

અમે આ જગતમા બે ભાવે રહીએ છીએ.
લઘુતમ ભાવ અને અભેદ ભાવ,
આ બે જ અમારી મુખ્ય બાઉન્ડ્રી છે.
વ્યવહાર થી અમે લઘુતમમા છીએ.
નિશ્ચયથી અમે ગુરુતમ ભાવમા છીએ.
અને આમ સ્વભાવે કરીને અભેદ સ્વરૂપ છીએ.



જ્યાં સહજભાવ હોય ત્યાં ધર્મ હોય.
સહજભાવ જેટલો હોય એટલો જ ધર્મ સહેજાસહેજ બની જાય ને!

જ્યાં સુધી  જ્ઞાની ના મળે ત્યાં સુધી ભક્તિ માંગવી
ને  જ્ઞાની  મળે તો એમની પાસે મોક્ષ માંગવો.
'તુંહી'માં [ ભક્તિમાં] 'તું' ને 'હું' નો ભેદ રહે , તે ઠેઠ સુધી ભગતને ભગવાન બે જુદા જ રહે; જ્યારે 'હુંહી' [ જ્ઞાનમાં] માં અભેદતા રહે, પોતે જ પરમાત્મા સ્વરૂપ થઇ જાય!
જેમ જેમ સંસાર છુટતો જાય , તમારો પ્રારબ્ધ ખુટ્તું જાય તેમ અભેદતા ઉત્પન્ન થાય. પ્રારબ્ધ જાગ્રુતિપૂર્વક ભોગવાઇ જાય એટલે અભેદ થઇ જાય.









ટિપ્પણીઓ નથી: