28.12.15

પરમઆનંદમાં રહેવા માણસે કેવા ગુણો કેળવવા પડે ?


»   બીજાને બદલવાની મથામણો કરવાને બદલે એ પોતાને બદલવાની મથામણમાં મશગુલ રહે છે.

»   એ બીજાઓ જેવાં છે એવાં જ એમને સ્વીકારી શકે છે.

»   એ સમજે છે કે પોતાની રીતે દરેક જણ સાચો હોય છે.

»   દરેક બાબતમાં જતું કરવાનું એણે શીખી લીધું છે.

»   કોઇ પણ સંબંધમાં કોઇ પણ અપેક્ષા રાખ્યા સિવાય, " આપવાના આનંદ"  ખાતર આપવાનું એને આવડી ગયું છે.     

»   એને ખબર પડી ગઈ છે કે આપણે જે કંઈ કરીએ છીએ એ આપણી પોતાની જ શાંતિ અને આનંદ માટે કરતાં હોઈએ છીએ.

»   પોતે કેટલો બુદ્ધિશાળી છે એ દુનિયા સમક્ષ સાબિત કરતાં રહેવાનું એણે છોડી દીધું છે.

»   પોતે જે કંઈ કરે છે એ માટે અન્યોની મંજુરી કે સમર્થન મેળવવાની જરૂર એને વર્તાતી નથી.

»   અન્યો સાથે પોતાની સરખામણી કરતાં રહેવાની વૃત્તિમાંથી એને મુક્તિ મળી ગઈ છે.

»   એણે પોતાની જાત સાથે સંપૂર્ણ સુલેહ સાધી લીધી છે.

»   "ઈચ્છાઓ" અને "જરૂરીયાતો" વચ્ચેનો તફાવત સમજી લઇ "ઈચ્છાઓ" ને ભૂલી જતાં એને આવડી ગયું છે.   

»   ભૌતિક વસ્તુઓ સાથે સુખને સાંકળવાની આદતથી એણે છુટકારો મેળવી લીધો છે.