12.12.11

સદ્દભાવ, સહકાર, શાંતિથી કામ લેનારો જ ફાવશે(કાંતિ ભટ્ટ )

  સદ્દભાવ, સહકાર, શાંતિથી કામ લેનારો જ ફાવશે

 

કાંતિ ભટ્ટ    

 

 

 

 

 

આ દુનિયામાં ગુણિયલોની જબ્બર મેજોરિટી છે, છેતરનારા બહુ ઓછા છે.

એટલે તમારી જીવનનૈયાને બીજા ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીને જ ચલાવજો.

એકાદ વખત છેતરાશો તે તમારો પ્રારબ્ધ હશે.



શેખ સાદીએ માનવીને કળિયુગમાં શાંતિથી જીવવા આપેલી બે શિખામણો આજે યાદ કરાવું છું. 'ચિંથડે કા નિરાદર મત કરો, કયોં કિ ઉસને ભી કિસી સમય કિસી કી લાજ રખ્ખી થી.' બીજી શિખામણ હતી- બે વાત માનસિક દુર્બળતા પ્રગટ કરે છે- એક તો બોલી નાખવાનું હોય ત્યારે ચૂપ રહેવું અને બીજું ચૂપ રહેવાના અવસર પર બકબક કરવું. ખમી ખાવું એ શ્રેષ્ઠ ગુણ છે.

 

આજે મારે અમેરિકાના મહાન ફિલસૂફ, આર્ષર્દષ્ટા અને કવિ મેકસ એહરમેનની એક અત્યંત ઉપયોગી કવિતા ટાંકવી છે, ડેસિડરાટા શબ્દ લેટિન ભાષાનો છે. લેટિનમાં 'ડેસિડરા ટમ' શબ્દ છે. અથૉત્, આ કળિયુગમાં સૌથી અનિવાર્ય હોય તેવો માનવીને શાંતિથી જીવવાનો મંત્ર.

 

'હે માનવ, તારી આજુબાજુ સતત ઘોંઘાટ હશે.

માણસ ઘાંઘો થઈને કે રઘવાયો થઈને દોડતો હશે,

પણ તને તેના ઘાંઘાપણા કે રઘવાટનો ચેપ લાગવા દઈશ નહીં.

તારે ભાગે જે ફરજ આવી હોય તેને શાંતિથી બજાવજે.

હા! ખોટા અન્યાયને સહન ન કરતો,

પરંતુ એક મંત્ર રાખજે

કે તું બધા સાથે પ્રેમથી વર્તીશ,

સહકારથી વર્તીશ,

કોઈ પૂર્વગ્રહ રાખીશ નહીં.

તારું પોતાનું સત્ય હોય, તને જે યોગ્ય લાગતી વાત હોય તે જરૂર તું કહેજે

પણ ઝનૂનથી કે ઊંચા અવાજે નહીં.

અવાજને ઊંચો કરવા જઈશ તો અસ્પષ્ટ થઈ જઈશ.

એટલે શાંતિથી તારી વાત કરજે

પણ સાથેસાથે સામા માણસની વાત પણ શાંતિથી સાંભળજે.

બની શકે ત્યાં સુધી

બહુ ઘોંઘાટિયો, ઝઘડાળુ કે આક્રમક માણસ હોય

તેનાથી દૂર રહેજે.'

 

યાદ રાખો કે તમે તમારી જાતને બીજા સાથે સરખાવ્યા ન કરો. જો તમે બીજા સાથે તમારી સરખામણી કર્યા કરશો તો તમારામાં કડવાશ આવશે અને તમે દંભી બની જશો. કારણ કે ઈશ્વરે હંમેશાં તમારા કરતાં ઊંચા અને નીચા માનવો પણ સજર્યા છે. એટલે તમે જે છો તેમાં સંતોષ માનીને, ખાસ તો તમે જે સિદ્ધિ મેળવી છે તેમાં સંતુષ્ટ રહો. તમારી પોતાની કેરિયરને ઊજળી કરવામાં તમામ સમય આપો.

 

એ વાત સાચી કે દુનિયામાં દગાબાજી છે. લોકો ટ્રિકથી બિઝનેસમાં ફસાવે છે પણ દુનિયામાં ગુણિયલોની જબ્બર મેજોરિટી છે. છેતરનારા બહુ ઓછા છે. એટલે તમારી જીવનનૈયાને બીજા ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીને જ ચલાવજો. એકાદ વખત છેતરાશો તે તમારો પ્રારબ્ધ હશે.બીજાઓ ટ્રિકરી કરી જાય તો તમે પણ તેના જેવા નહીં થતા. ધેર આર સો મેની પીપલ હૂ હેવ હાઈ આઈડિયલ્સ. તમારી જ જેવા ઊંચા આદર્શો રાખનારા બીજા અગણિત છે. માત્ર તમે જ આદર્શ પાળનારા છો તેવું ન માનતા. દુનિયામાં ઘણા હીરો છે પણ-બી યોર સેલ્ફ. તમે, તમે છો. તમારું વ્યક્તિત્વ અનુપમ રાખજો. કોઈ ખોટો દેખાડો કે દંભ ન કરતા.

જેવો પ્રેમ મળે તેવો સ્વીકારી લેજો. કોઈના પ્રેમમાં શંકા નહીં કરતા. પ્રેમમાં દ્વેષ કે અદેખાઈ ન કરતા. પ્રેમમાં મોનોપોલી નહીં ચાલે. પ્રેમ એ એક અમર હરિયાળી છે. આ જિંદગી તો સતત સંઘર્ષ અને ઘણી વખત સુક્કા રણ જેવી બની રહેશે ત્યારે પ્રેમ એક જ તમને રણમાં લીલી-મીઠી વીરડી બનશે.

 

Don't be serious, just try to be sincere

 
 
 

Don't be serious, just try to be sincere 
ttp://groups.yahoo.com/group/apunkaweb
 

Don't just have career or academic goals. Set goals to give you a balanced, successful life. I use the word balanced before successful. Balanced means ensuring your health, relationships, mental peace are all in good order.

 

 There is no point of getting a promotion on the day of your breakup. There is no fun in driving a car if your back hurts. Shopping is not enjoyable if your mind is full of tensions.

 

 "Life is one of those races in nursery school where you have to run with a marble in a spoon kept in your mouth. If the marble falls, there is no point coming first. Same is with life where health and relationships are the marble. Your striving is only worth it if there is harmony in your life. Else, you may achieve the success, but this spark, this feeling of being excited and alive, will start to die. .......

 

 One thing about nurturing the spark - don't take life seriously. Life is not meant to be taken seriously, as we are really temporary here. We are like a pre-paid card with limited validity. If we are lucky, we may last another 50 years. And 50 years is just 2,500 weekends. Do we really need to get so worked up? .......

 

 It's ok, bunk a few classes, scoring low in couple of papers, goof up a few interviews, take leave from work, fall in love, little fights with your spouse. We are people, not programmed devices........."

 

 "Don't be serious, just try to be sincere."


 



8.11.11

આંદામાન : તમે બની જશો દિવ્યત્વને ‘ભાળી’ ગયેલો માણસ !


એલિફન્ટ બીચ પર બોટવાળો તમારા મોંમાં સ્નોર્કલ (ભૂંગળી વડે શ્વાસ લેવાનું સાદું સાધન) ગોઠવશે. એ તમને હાથ પકડીને ધીમે ધીમે પાણીમાં લઈ જશે. 

જરાક વારમાં, જાણે અચાનક વગડો પૂરો થયા પછી શહેર શરૂ થઈ જાય એમ, 
તમે દરિયાઈ સૃષ્ટિના એક ધમધમતા શહેરમાં પહોંચી જાવ. 
ના, એમાં ઘોંઘાટ જરાય નહીં. ઘોંઘાટ છોડો, એક પણ અવાજ તમને ન સંભળાય. 
ગાઢ નીરવતા... 
તમારું શરીર આપોઆપ, બોટવાળાની દોરવણી પ્રમાણે દરિયામાં વહેતું રહે 
અને તમારી નજર સામે હોય રંગો... 
એક-બે રંગો નહીં, હજાર-બે હજાર રંગો પણ નહીં, જાણે લાખ્ખો રંગો... 
જી હા, લાખ્ખો રંગો... 
એવું લાગે જાણે રંગો કિકિયારી કરી રહ્યા છે, 
ચિલ્લાઈ રહ્યા છે, 
સહેજ પણ અવાજ કર્યા વિના. અને એ રંગો પાછા સ્થિર ન હોય.  














તમે એક ફૂટ આગળ વધો તો જાણે નવું જ જગત... 
ત્યાંથી એક ફૂટ આગળ વધો તો બીજું નવું જગત... 




ગણ્યાં ગણાય નહીં અને વીણ્યાં વિણાય નહીં એટલાં પરવાળાં, 
વનસ્પતિ, માછલી અને અન્ય જીવો... એમાંના તમામ પાછા એકદમ ખુશ લાગે. 








પોતાના રંગો દ્વારા એ જાણે પોતાના હોવાપણાની-
અસ્તિત્વની ખુશી વ્યક્ત કરી રહ્યા હોય એવું લાગે. 
‘હું છું એ જ કેટલો મોટો ઉત્સવ છે!’ એવું કહી રહ્યા હોય એવું લાગે. 




થોડી જ વારમાં, આપણે જમીન પરના જીવ (મનુષ્ય) હોવા છતાં 
જાણે આપણે પણ એ દરિયાઈ ભીડમાંના જ એક જીવ હોઈએ 
અને વર્ષોથી એ બધા સાથે અલગ છતાં એકાકાર થઈને જીવી રહ્યા હોઈએ એવું લાગે. 
દરિયામાં લહેરાતું આપણું અસ્તિત્વ પણ 
પેલા લાખ્ખો રંગોમાં એક વધારાનો રંગ ઉમેરનાર શરીર સિવાય બીજું કશું જ નથી એવું લાગે...






સોરી, શબ્દ સાવ ટૂંકા પડી રહ્યા છે, સાવ જ ટૂંકા. 
રંગ, ઉમંગ, તરંગ... આ બધાની ટોચે (વાસ્તવમાં દરિયાના તળિયે) 
તમે છેવટે એટલા શૂન્યમનસ્ક થઈ જાવ 
કે પેલો બોટવાળો તમને રંગોના એ શહેરમાંથી અચાનક ફરી વગડામાં, ફરી કાંઠે લઈ આવે 
ત્યારે તમે... તમે થોડી પળો કશું બોલી ન શકો. 
‘ઝિંદગી ન મિલેગી દોબારા’ના હૃતિકની જેમ. 


આવો અનુભવ લીધા બાદ કોઈ હૃતિકની જેમ રડી પડે તો એના પર હસવું નહીં, પ્લીઝ. 
મારા અનુભવની વાત કરું તો, મારી બોલતી બંધ થઈ ગઈ. 
મગજ એવું ઠપ્પ થઈ ગયું કે કેમેય ઝટ ચાલુ ન થાય (મારે ચાલુ કરવું પણ નહોતું). 
કાંઠા પર આડા પડેલા ઝાડના મૂળિયા પર બેઠા પછી પણ થોડી વાર સુધી તો હું કોઈ મનુષ્ય (લેખક-ફેકક, પત્રકાર-ફત્રકાર તો દૂરની વાત છે, માત્ર અને માત્ર મનુષ્ય) જેવો વિચારશીલ જીવ નહીં, બલકે દરિયામાં લહેરાતા પેલા જીવો જેવો, વિચારશૂન્ય, નૈસિર્ગક, શાંત, મૌન જીવ હોઉં એવી મારી અવસ્થા રહી.





આવા અનુભવ પછી તમે... તમે... જાણે રમેશ પારેખ બની જાવ. 
ના, એમના જેવા કવિ બની જાવ એવું હું નથી કહેતો. 
કોઈ મહારથીએ રમેશ પારેખ વિશે કહેલું કે ‘આ માણસ કશુંક ‘ભાળી’ ગયો છે.’ 
મતલબ, એણે જાણે દિવ્યત્વનો સાક્ષાત્કાર કર્યો છે. 
તો, એવો જે માણસ છે, ‘ભાળી ગયેલો માણસ’, એવા તમે બની જાવ, 
એલિફન્ટ બીચની દરિયાઈ સૃષ્ટિ ‘ભાળી’ ગયેલો માણસ...
એક વાર એ ભાળ્યા પછી વાત ત્યાં અને ત્યારે પૂરી નથી થતી.

પછી તો લાંબા સમય સુધી તમને રહી રહીને એવા ઝબકારા થાય કે 
‘આ ઇશ્વર કે પ્રકૃતિ કે જે કહો તે, એણે સૃષ્ટિમાં જે અપાર સૌંદર્ય વેર્યું છે 
એ માત્ર મનુષ્યના લાભાર્થે નથી. 
માનવી દરિયાના પેટાળમાં તો હમણાં હમણાંથી, સાધનોની સગવડો વધ્યા બાદ જતો થયો. 
પણ પેલી અફાટ સૌંદર્યની સૃષ્ટિ તો હજારો, લાખો વર્ષોથી ‘પોતાની ધૂનમાં, પોતાની મસ્તીમાં’ 
લહેરાઈ રહી છે. એ સૌંદર્યને મનુષ્ય માણે કે ન માણે, તેનાથી એ સૌંદર્યને કશો ફરક નથી પડતો.’

હેવલોકથી પાછા ફર્યા બાદ, કામે લાગી ગયા બાદ, ક્યારેક જીવનમાં કોઈ લોચો પડે, મગજ ચૂંથાય ત્યારે અચાનક પેલી દરિયાઈ સૃષ્ટિનું ર્દશ્ય મગજમાં ચમકારો કરે 
કે ‘હે ભાઈ, હે ઊંચાનીચા થતા જીવ, જરાક તો બારીની બહાર જો... 
જેમ એલિફન્ટ બીચના દરિયામાં તેમ આકાશમાં પણ 
જે અપાર રંગો દેખાય એ તો જો... 
અને જમીન પર ચારે તરફ પક્ષીઓ ગાઈ રહ્યાં છે, વૃક્ષો ડોલી રહ્યાં છે, 
પ્રાણીઓ સાહજિક જીવન જીવી રહ્યાં છે.
એ તમામ જીવોએ પણ આફતો, અગવડો વેઠવી પડતી હશે. 
છતાં, મનુષ્ય સિવાયનો ભાગ્યે જ કોઈ જીવ મનુષ્યની જેમ, ક્ષુલ્લક વાતે, 
લાંબું લાંબું વિચારીને દુ:ખી થતો હશે. 
સૃષ્ટિમાં ચોતરફ હિંસા, બીમારી, ભક્ષણ, મરણ હોવા છતાં 
છેવટે તો સૌંદર્યનું, શાંતિનું, ઉલ્લાસનું પલ્લું જ ભારે છે.’

આવા બધા ફિલોસોફિકલ વિચારો તમને આવે કે ન આવે, 
દરિયાઈ સૃષ્ટિ જોવામાં તમને ભારે માંહ્યલી મજા તો આવે જ આવે... 
એની ગેરંટી!

કપ એટલે કાનજી ને રકાબી તે રાધા

 
ઊડતી રકાબીની શોધ કોણે કરી તે મને ખબર નથી 
કારણ કે હું વિજ્ઞાનનો માણસ નથી પરંતુ અજ્ઞાનનો માણસ છું 
પણ મારા ઘરના રસોડામાંથી ઘણીવાર ઊડતી રકાબી જોવા મળી છે.
 
પામર પુરુષ આગળ અશકત સ્ત્રીને વિજેતા સાબિત કરવા માટે કપરકાબી કાફી છે. 
આપણે રકાબીને કપ ઉપર ઊંધી ઢાંકીએ તો આખો કપ ઢંકાઇ જાય છે 
જ્યારે કપને રકાબીમાં ઊંધો વાળો તો પોણી રકાબી ઉઘાડી રહે છે 
એ સાબિત કરે છે કે ઘર તથા વર બંનેનું ઢાંકણ નાર છે.

સ્ત્રી લાજશરમ છોડે તો ધણી એને ઢાંકી શકતો નથી 
કારણ કે રકાબીબહેન સાવંત કે રકાબીબહેન શેરાવતનું ઢાંકણ થવાનું 
જગતના કોઇ કપભાઇનું કામ નથી.
 
 ચા પીધા પછી કપને ફેંકી દેવા 
એ તો ઉપયોગ કરીને ફેંકી દેવા જેવી અમાનવીય પ્રવૃત્તિ છે 
જે પશ્ચિમની દેન છે. 
યાદ રાખજો પૂર્વની સંસ્કૃતિ ઓઝલને સ્વીકારશે 
પણ ડિસ્પોઝેબલને સ્વીકારશે નહીં. ‘
 
 

7.11.11

ગણપતિબાપા સાથે એક મુલાકાત

પ્રભુ બોલ્યા,  
તારી સોસાયટીવાળા સસ્તા મહારાજ ઊંચકી લાવ્યા છે તે ‘સ’ના બદલે ‘શ’ બોલે છે. 
 ‘કરું તમારી શેવા’ એમ બોલે છે ત્યારે મને ખરેખર ડર લાગે છે કે 
હવે એ અસ્ત્રો લઈ મારી શેવ કરી નાખશે. 

કાલે જ મારા જે ભાવિક ભક્તે મારી સ્થાપના કરી એને હું મનોમન આશીર્વાદ આપતો હતો. 
ત્યાં જ એનાં મમ્મીએ બાળકને કહ્યું, “લોર્ડ ગણેશાને પ્રે કરી લો. બ્લેસિંગ્સ લઈ લો.” 
બાળકે માથું નમાવ્યું. મેં આશીર્વાદ આપવા માટે હાથ લાંબો કર્યો ત્યાં જ ખબર પડી 
કે બાળક બ્લેસિંગ માટે નહીં પણ લાડુ લેવા માટે નમ્યો હતો. 
લાડુ ખાતાં ખાતાં બાળકે પપ્પાને પૂછયું, “પપ્પા, ખરેખર કોઈનું માથું આવું હોય?” 
 પપ્પા બોલ્યા, “બેટા, આ તો રિલિજિયસ સિમ્બોલ છે.” 
બાળક બોલ્યો, “અચ્છા, હું તો સમજેલો કે આ સ્ટેટસ સિમ્બોલ છે.” 
પપ્પા લાડવો ઉપાડવા ગયા ત્યાં જ મમ્મી તાડુકી, 
“રહેવા દો, કાલે બ્લડ સુગર કરાવવાનું છે.”
આટલું બોલતાં ગણપતિબાપાને ડૂમો ભરાયો, 
 પછી આગળ એ ભક્તાણીએ શું કહ્યું ખબર છે? 
 મને બતાવીને, ટુ બી પ્રિસાઇઝ મારું પેટ બતાવી, પોતાના પતિને કહ્યું કે, 
“આપણે આમના જેવા નથી થવાનું સમજ્યા!”


મૂર્તિકારે જ્યારે મને રચ્યો ત્યારે મેં કહ્યું કે ધન્ય છે તારી ભક્તિ! 
તેં માટીમાંથી શ્રદ્ધાપૂર્વક-ભાવપૂર્વક મને અવતાર્યો.
એ બોલ્યો,”પ્રભુ, તમે પાછલું અડધું સાચું બોલ્યા, 
 મૂર્તિ રચવાના ધંધામાં શ્રદ્ધા જેવું તો ખાસ પોસાય નહીં, પણ ભાવ સારો મળે છે. 

આમ પણ એ બહેનને ત્યાં તો મને રોજ ધ્રાસકા પડે છે. 
એક તો એમના નોકરનું નામ પણ ગણેશ છે.
જોકે, નોકરને એ ગણેશ અને મને એ ગણેશા કહે છે. 
મારા નામની આવી દુર્દશા સાંભળી મારા મોંથી નીકળી ગયું, “હે રામ!’ 
 તો ભગવાન રામ ત્યાં જ રામા સ્વરૂપે પ્રગટ થઈ બોલ્યા, 
“આ લોકોએ મને ય રામમાંથી રામા બનાવી નાખ્યો તો તું તો બચ્ચું છે.”

(વાતનું વતેસર)

3.11.11

સવાર સવારમાં ................[ ફેસબુક ધમાલ ]

અધીર અમદાવાદી


સવાર સવારમાં પ્રેશર નથી આવતું :(
``
```
````
````
````

````

````
````

શાવરમાં. કદાચ કચરો ભરાયો લાગે છે.
તમે શું સમજ્યા ?
D. Dave
મિસ-કોલ તો આવતા જ હશે !

B. પંજવાની
 
હા હા હા , દિવાળી હજમ ના થઇ


K. Mehta
ભૂલ થી બૈરી ના હાથના મઠીયા -ઘૂઘરા ખાધા હતા કે શું..?

P.Thakkar
યુરેકા ફોર્બ્સ વેક્યુમ ક્લીનર ના સેલ્સમેન ને ફ્રી ડેમો માટે બોલાવો .... શાવર નો કચરો સાફ થઇ જશે !

C. Shani
કાયમ ચુર્ણ ની બોટલ પાણી ની ટાંકી માં નાખી જો બકા

N. Choksi
સીવીલ એન્જીનીરીંગ પ્રમાણે બેક પ્રેસર આપી લાઈન સાફ કરો....!

Billimora No Billu
જલ્દી  ડિસીઝન લો નહીં તો મનમોહન સુધી વાત પહોંચી જશે ... 
દિગ્વિજય તો ... અન્ના નો હાથ છે આમાં .. એમ જ કહેશે


R.M.Mehta

MMS(Man Mohan Singh) સુધી વાત જશે તો પછી ,

.
.
.
જે કોઈ થોડું ઘણું પ્રેશર રહ્યું હશે ,
એ પણ ખલાસ થઇ જશે !

J. Dave

પ્લીઝ  ૧૦૮ ડાયલ કરો ....! અફકોર્સ  શાવર માટે જ સ્તો ....!


J. Divya
અધીર ભાઈ હાવ હાચ્ચું ક્વ ને તો ક્યાં તો ટમ્બલર ને ડોલ લઇ ને નાહી  લે
ક્યાં અહિયાં કોમેન્ટું ના વરસાદ માં નાહી લે બકા !


Billimora No Billu

ન . મો. કહે છે.... આ એક આપણા ગરવી ગુજરાત ની જ સમસ્યા નથી...
પુરા દેશ ની સમસ્યા છે ...... અને.......
આના  માટે કેન્દ્ર સરકાર ની ઢીલી નીતિ જવાબદાર છે ...
ઢીલા MMS (man mohan) ને કારણે .. કોમેન્ટ્સ નું પુર આવી જશે .... સરકાર જોતી જ રહેશે ..

A. Vala

અમારે તો શાવરમાં કચરો ભરાય જ નહિં, "કાયમ"ના ધોરણે પ્લ્મબર રાખ્યો છે

(નોંધ: કાયમચુર્ણની એડ છે એવું માનવું નહિં)



M.Pathak

રાતે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર.
એવું બાળમંદિરમાં ગવડાવતા.
પહેલા લોકો ઘરે ખાતા અને બહાર જાતા (લોટા લઇ ને)
હવે ઊંધું છે. માટે પ્રેશરનો પ્રોબ્લેમ રહે.


V. Rabara

એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે.

ધર્મેશ

એક મોટર (ઉંચા હોર્સ પાવર વાળી) મુકાવી દયો ને.... શાવર માં હો ને... :પી

Amit A.

અન્ડર પ્રેશર  ઘણા સારૂં પરફોર્મ કરતા હોય છે !


Dharmen 

સવાર સવારમાં પ્રેશર નથી આવતું ... તો બધી પાઈપ લાઈનો બદલાવી નાખો ને !

P. Desai
ભાઈ ! અહીં સવાર સવારમાં હું તો કાયમ " અધીર " જ હોઉં છું ....
તમે   સવાર સવારમાં  બહુ " ધીર " રહેતા લાગો છો ..... !










24.10.11

ફ્રોમ બોસ વિથ લવ...

ફ્રોમ બોસ વિથ લવ...

ડિયર પિલ્લઈ,
તમે આજે તમારી મમ્મીને દવાખાને બતાવવા લઇ જવાના હોવાથી રજા લીધી હતી. મેં બપોરે તમારા ઘેર ફોન કર્યો ત્યારે તમારા પૂજ્ય માતુશ્રીએ ફોન ઉપાડ્યો હતો અને અમે લોકોએ પંદર મિનીટ સુધી આડીઅવળી વાતો કરી હતી. ઘણો મળતાવડો સ્વભાવ છે એમનો. એમની પાસેથી તમે ટાઈ બાઈ પહેરીને તૈયાર થઈને કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયા હશો એવી માહિતી મળી હતી. તો તમને આ જોબ સર્ચ મુબારક. અને હા, યુનિયન રેમેડીના એચઆરમાંથી  મિસ. રીતુનો ફોન આવ્યો હતો. તમારી સ્માર્ટનેસથી તો એ ઈમ્પ્રેસ હતાં, પણ તમે કરંટ સેલરી બાર હજારને બદલે સોળ હજાર કહી હતી એટલે એણે મને ક્રોસ ચેક કરવા ફોન કર્યો હતો. બાય ધ વે એ રીતુ મારી ક્લાસમેટ હતી, એમ.બી.એ.માં !
તો પિલ્લાઈ, ઓલ ધ બેસ્ટ ફોર જોબ સર્ચ.
લી. તારો બાજ નજર (હવે એક્સ) બોસ
========================================
 
ફ્રોમ : બોસ
ટુ : ઓલ કોપી કેટ્સ
ગયા મહિને આપણાં ફ્લોરના ઝેરોક્સ મશીન પરથી લગભગ આઠ હજાર કોપી ઝેરોક્સ નીકળી છે. આમ વીકલી એવરેજ બે હજાર ઝેરોક્સ થઇ. પણ મઝાની વાત એ છે કે ગયા જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયા દરમિયાન જ્યારે હું ફોરેન ટુર પર હતો એ અઠવાડિયામાં બે વાર મશીન ગરમ થઈને બગડી ગયું હતું. અને એ અઠવાડિયામાં જ લગભગ ચાર હજાર ઝેરોક્સ નીકળી છે. આ અંગે કંપનીના હિતેચ્છુ કર્મચારીએ (એને ચમચો કહી ન બોલાવવો) મારું ધ્યાન દોર્યું છે. તો કંપનીના ઝેરોક્સ મશીનને તમારા પૂજ્ય પિતાજીની મિલકત સમજી વાપરવાનું બંધ કરવા નમ્ર વિનંતી. આ મંથ એન્ડમાં હું નવા પ્રોજેક્ટ માટે બહાર જઉં તે દરમિયાન જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ઈન્ટરનેટ એનેબલ્ડ  સીસી ટીવી કેમેરા મૂકતા કંપની અચકાશે નહિ, અને આમ થવાથી તમે મફત ઝેરોક્સ કાઢવા સિવાય બીજું શું શું નહિ કરી શકો તે મારે તમને કહેવાની જરૂર છે ?
લી. શેરલોક બોસ

 

 

 


17.10.11

સમય કેટલું બધું ઝૂંટવી લે છે


 
 
ગામડાં તૂટી રહ્યાં છે તે વાત નવી નથી. 
તે સત્ય જાણવા માટે સરકારી આંકડા કે નિષ્ણાતો દ્વારા કરવામાં આવતાં વિશ્લેષણની જરૂર નથી. અનેક કારણો છે, જેને લોકોના જીવન સાથે સીધો સંબંધ છે. 
જે લોકો ગામડામાં જન્મ્યા, ત્યાં જ ઊછર્યા અને પછી શહેરોમાં આવીને વસ્યા 
તેમાંના કેટલાય સંવેદનશીલ લોકોને 
એમના લોહી સાથે જોડાયેલી ગ્રામસંસ્કૃતિના થઇ રહેલા વિનાશની સ્થિતિ પીડાજનક લાગતી રહી છે. તે સંદર્ભમાં આપણા જાણીતા સર્જક મણિલાલ હ. પટેલે લખેલા નિબંધો વાંચી જવા જેવા છે. 
 
લુપ્ત થઇ રહેલાં ગામડાંની સાથે બીજું પણ કેટલું બધું લુપ્ત થઇ ગયું છે.

ગ્રામજીવનની સમગ્ર જીવનશૈલી સમયના ખપ્પરમાં હોમાઇ ગઇ છે. 
એ બધું જ એક સમયે આપણા લોહીમાં ધબકતું હતું. 
હવે શેઢો ભૂંસાઇ ગયો છે, પડસાળ ઊખડી ચૂકી છે, 
ફળિયું અને ચોતરો અને પાદરો નામશેષ થઇ ગયાં છે. 
‘ભળભાંખળું’ શબ્દની સાથે જોડાયેલો રાતના અંધકારમાંથી દિવસના અજવાળાની વચ્ચે 
ઉઘાડ પામતી પ્હો ફાટવાની વેળાનો આખો અનુભવ આપણે ખોઇ બેઠા છીએ.
મણિલાલભાઇનું ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે મેં લખ્યું હતું તે યાદ આવે છે: ગામડું તૂટે છે ત્યારે માત્ર કોઇ સ્થળવિશેષ ભૂંસાયું હોતું નથી. 
તેની સાથે ગામડામાં માણવા મળતી ઋતુઓ, ઉત્સવો, 
લોકગીત, ફટાણાં, મામેરું-સીમંત-લગ્ન જેવા સામાજિક પ્રસંગો, 
વૃક્ષાલોક, પંખીઓ વગેરેની અવનવી સંસ્કૃતિ પણ અલોપ થઇ ગઇ છે 
તે વિશેની પીડા પણ જન્મે છે. 
તળપદના કેટલા બધા બળૂકા શબ્દો હવે ભુલાવા લાગ્યા છે. 
ગામડાના જીવનમાં જે પોતીકાપણું હતું તે હવે શહેરોમાં અનુભવવા મળતું નથી. 
જે બચ્યાં છે તે ગામડાં પણ શહેરી વાતાવરણનો ભોગ બનવા લાગ્યાં છે. 
નવી નવી શોધો, વિકાસ અને બદલાતી જીવનશૈલી આવકાર્ય છે, 
પરંતુ તે બધું જે રીતે આપણી પુરાતન અને સજીવ સંસ્કૃતિનો ભોગ લેતું રહે છે 
તે પરિસ્થિતિ જીવલેણ છે.

મારી બીજી પેઢીને પણ તે ગ્રામજીવનનો અનુભવ નથી. 
ત્રીજી પેઢી તો ભૌગોલિક રીતે માત્ર ગામડાંથી નહીં, ગુજરાતની સંસ્કૃતિથી પણ દૂર નીકળી ચૂકી છે. વાતવાતમાં એવા કેટલાય ગુજરાતી-તળપદા શબ્દોની તો વાત જ જવા દો-
મારી અને આપણી ત્રીજી પેઢીનાં સંતાનોના કાને પડે છે 
ત્યારે તેના કોઇ અર્થ એમના સુધી પહોંચતા નથી. 
હું ‘કૂવો’ કહેતાં એમના ચિત્તમાં કૂવા વિશેનું કોઇ ચિત્ર ઊભું કરી શકતો નથી.

ભાદરવો બેસે ને મારા મનમાં મારા ગામમાં ભરાતા મેળા ઊભરાવા માંડે. 
મારો નિજી અનુભવ હું એમનામાં પ્રત્યક્ષ કરી શકતો નથી. 
નવમા ધોરણમાં ભણાવાતા હિન્દીના પાઠ્યપુસ્તકનો ‘ધૂલ’ નામનો નિબંધ 
હું મારા પૌત્રને સમજાવતો હતો ત્યારે તેમાં વારંવાર આવતા ‘ગોધૂલિ’ શબ્દની આછી ઝાંય પણ 
હું તેના સુધી પહોંચાડી શક્યો નહોતો. 
થોડા દિવસો પહેલાં નવરાત્રિ ગઇ ત્યારે હું મારા મનમાં ગરબી ‘ખૂંદતો’ હતો 
અને મારા પછીની પેઢીનાં સંતાનો પશ્ચિમી વાધ્યોની તાલે ‘ડાન્સ’ કરતાં હતાં.

ઘણું બધું દેખાતું બંધ થાય અને નવું નવું દેખાવાની શરૂઆત થાય 
તેમાંથી જ કદાચ સમયનું વીતવું એટલે શું તે સત્ય સમજી શકાય છે. 
સમજાય છે કે કશુંક વિલોપાયું છે તો કશુંક નવસર્જન પણ થયું છે. 
તેમ છતાં ક્યારેક મિત્ર મણિલાલ હ. પટેલ એમના એક નબિંધમાં જેમ કરગરી ઊઠ્યા હતા તેમ કરગરી ઊઠવાનું મન તો થઇ જ આવે છે: 
‘હે આથમવા જતી વીસમી સદી, 
મને આપી શકે તો મારું ગામ-હતું એવું અસલ ગામ-પાછું આપતી જા.’



10.10.11

ભૂમિતિ શિક્ષકનો પ્રેમપત્ર 

(વાતનું વતેસર)


ડો. રઈશ મનીઆર

શાળામાં રિસેસ પછી ભૂમિતિનો પિરિયડ ન રાખવો જોઈએ એટલા માટે ભૂમિતિનો પિરિયડ રિસેસ પછી રાખવામાં આવે છે!

ત્રિકોણ સમોસાં કે ગોળ બટાકાવડાં કે ચોરસ સેન્ડવિચ આત્મસાત્ કર્યા પછી ભૂમિતિમાં શીખવાનું શું બાકી રહે? એમ વિચારી વિદ્યાર્થીઓ ઊંઘી જાય છે. પછી ભૂમિતિ શિક્ષક ભૂમિતિ શીખવે છે.

ભૂમિતિનો પ્રોબ્લેમ એ છે કે એ વિદ્યાર્થીઓને પ્રેમ કરવાની ઉંમરે પ્રમેય શીખવવા માગે છે.

ભૂમિતિ ભણી વિદ્યાર્થીઓ એટલું જ શીખે છે કે કશું પણ સાબિત કરવું હોય તો ન સમજાય એ રીતે જ કરવું.

હસુભાઈ પુત્રને ભૂમિતિ શીખવી રહ્યા હતા ત્યારે જ એમને ખ્યાલ આવ્યો કે પત્નીની સરખામણીમાં એમનું જીવન પ્રમેય જેવું છે. હંમેશાં ઊંધીચત્તી રીતે કશું સાબિત જ કર્યા કરવું પડે.

જ્યારે હેમાબહેનનું જીવન પૂર્વધારણા જેવું છે. જે કહું તે માની જ લેવાનું કોઈ મગજમારી નહીં.

ભૂમિતિ ભલે નીરસ હોય પણ ભૂમિતિ શિક્ષકો ઘણી વાર રસિક હોય છે.

પ્રેમિકા જાડી થઈ ગઈ એમ કહેવાને બદલે એ કહે છે તારી લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર વેગપૂર્વક ઘટી રહ્યો છે.

તું લંબચોરસમાંથી સમબાજુ થઈ રહી છે.

આ ભાષાનો વધુ લહાવો લેવો હોય તો

કિરણભાઈ અડધિયા નામના ભૂમિતિ શિક્ષકે એમની પ્રેમિકા બિંદુબહેન વ્યાસને લખેલો પત્ર વાંચો.

પ્રિય બિન્દુ,

પ્રિયે! તને યાદ છે, તારી બર્થડે પર મેં તને શહેરના સમબાજુ ચતુષ્કોણ પર એટલે કે ચોક પર શંકુ આકારના ખાદ્ય પાત્રમાં અનિયમિત આકારનો શીતલ ઘન તરલ પદાર્થ (આઈસક્રીમ) ખવડાવ્યો હતો ત્યારે પ્રેમથી તારી તરફ તાકતાં રહેવાને બદલે એ શંકુનું ઘનફળ માપવામાં વ્યસ્ત થઈ ગયો હતો ત્યારે તું ત્રણ દિવસ સુધી રીસાઈ ગઈ હતી. અને તને મનાવવા મેં તને ગિફ્ટ બોક્સ આપતાં તારા મુખ પર ખુશીનાં અર્ધવર્તુળો રચાઈ ગયાં હતાં, પરંતુ ગિફ્ટ ખોલતાં અંદરથી ફરી એક વાર કંપાસબોક્સ નીકળતાં તું ત્રણ મહિના માટે રીસાઈ ગઈ હતી. મારા મિત્રો હવે મને સલાહ આપે છે કે ફરી વાર મોટો કંપાસ ગિફટ આપ. જેથી તું ત્રણ વર્ષ માટે અબોલા લઈ લે તો મારું પીએચડી પૂરું થાય. પણ મારું મન કહે છે પીએચડી એટલે કે પ્યાર હોને દે. પણ આ વાત મારા મિત્રોને નહીં સમજાય.

તને કેન્દ્રમાં રાખીને ચક્રાકારે ભ્રમણ કરતો હોવાથી મારા મિત્રો મને ચક્રમ કહે છે એનો મને અફસોસ નથી. ક્યારેક તારી નજીક આવવાના મારા બધા પ્રયાસો તારી સહેલીઓ જયા, વિજયા અને રજિયા જેમને સમૂહમાં હું ત્રિજ્યા તરીકે ઓળખું છું તેઓ વિફળ બનાવે છે. એનાથી પણ હું હિંમત નથી હારતો અને પરિઘ પકડી રાખું છું, તારી ઉપર લંબ બની મંડરાતો પેલો લમ્બૂ અને તને નમીનમીને તારી સાથે સ્પર્શરેખા રચવા મથતો પેલો નમન, આ બંને તને મધ્યમમાં રાખી ૯૦ અંશનો ખૂણો બનાવી બેઠા છે એ દૃશ્ય પણ સાવ સામેથી નિઃસહાય કર્ણની જેમ જોવાની હામ અત્યારે તો મારામાં છે. પણ યુકલીડના સોગંદ, જે દિવસે મારા ગુસ્સાનું ક્ષેત્રફળ મારી ધીરજની પરિમિતિ કરતાં વધી જશે ત્યારે સાવ એકલે હાથે માત્ર પરિકરને સહારે એમનો સામનો કરી એમને અનંતબિંદુ સુધી ભગાડીને જ જંપીશ.

છેલ્લા ૩ મહિના અને ૧૪ દિવસથી મારી તો જિંદગી પાઈ અને હાથાપાઈની વચ્ચે પસાર થઈ રહી છે. હું તને સાચો પ્રેમ કરું છું એવું પક્ષ સાધ્ય અને સાબિતિ સહિત પુરવાર કરવા છતાં કટાયેલા કાટકોણ જેવો તારો ભાઈ મને જોતાં જ ભારે ઘનફળવાળા પથ્થરો વડે મારી ભૂમિતિ બગાડવાની ધમકી આપે છે. એને ખબર નથી કે અગાઉ જ્યારે હું પેલી બેવફા રેખાના પ્રેમમાં હતો ત્યારે આપાતકોણની જેમ ત્રાટકેલા એના ભાઈએ મારા જમણા બાહુની અસ્થિરેખાનું વિખંડન એટલે કે ફ્રેકચર કરી મારા હાથને ત્રિકોણાકાર ઝોળીમાં મુકાવી દીધો હતો તે છતાં રેખાને બીજો બબૂચક મળી ગયો ત્યાં સુધી એના અને મારા ઘર વચ્ચેના અંતરની રોજ માપણી કરી હતી.

ભાવાર્થ એ જ કે મારો પ્રેમ પ્રમેય જેટલો પ્રેમાળ અને નિર્મેય જેટલો નિર્મળ છે. એક દિવસ જાન લઈ તારા આંગણે આવીશ. જાનમાં કોણ આવશે? ત્રિકોણ, ચતુષ્કોણ પંચકોણ, બહિષ્કોણ, અંતઃકોણ..બીજું કોણ? પાયથાગોરસની સાક્ષીએ સાત વાર વર્તુળાકાર ગતિ કરી તારી સાથે લગ્ન કરીશ, હનીમૂન પર તને જંતરમંતર લઈ જઈશ અને પછી પિરામિડ આકારના ઘરમાં આપણે સુખેથી જીવન વીતાવીશું. આપણાં બાળકો ક્ષિતિજ અને વલય ફૂટપટ્ટી અને કોણમાપક વડે ધિંગામસ્તી કરતાં હશે. કામવાળી જ્યારે નળાકાર આકારના પાત્રમાં ગોળાકાર ફળનો રસ લઈને આવશે ત્યારે એ નળાકાર પાત્રનું ઘનફળ માપવાની આદત હું ભૂલી ચૂક્યો હોઈશ.

લિખિતંગ (ખરેખર તંગ)

તને પામી સંપૂર્ણ થવા માંગતો

અડધિયા કિરણ



9.10.11

તમારો એન્ટિ વાઈરસ કોણ છે? 

મુકેશ મોદી
 સ્મોલ સત્ય / કળશ /દિવ્ય ભાસ્કર


 
જ્યાં અને સૌથી મોટો ચમત્કાર તો એ છે કે ઘરે પાછા આવીને મેં કોઈ બીજાને નહીં,
પોતાને જ પાછો આવેલો જોયો.
- હિંદી કવિ કુંવર નારાયણ


જ્યાં જશો, જેટલા પ્રકારના માણસોને મળશો, જેટલી એમની વાતો સાંભળશો એટલા વાઈરસોના શિકાર જાણે-અજાણે બનતા રહેશો. એટલે સુંદર સવાર આવા અસંખ્ય વાઈરસોને કારણે તપતપતી બપોર અને ચૂંથાઈ ગયેલી સાંજમાં રૂપાંતરિત થાય છે. ઉપરની કવિતામાં કુંવર નારાયણ કહે છે એમ જેવા ગયા હતા એવા ગડીબંધ, અકબંધ ઘરે પાછા આવવાનું અશકય બની ગયું છે અને મજબૂરીની મજબૂરી એ છે કે આપણે હિમાલય જઈ શકતા નથી! રહેવાનું તો છે આ કાંતિભાઈ, શાંતિભાઈઓ, રમાબેનો અને શમાબેનોની વચ્ચે જ.

ફિલસૂફ જે. કૃષ્ણમૂર્તિ કહેતા કે you exist only in relationship. હીંચકે એકલા બેઠા છો ત્યારે તમે છો પણ તમે નથી. અને બાય ધ વે, આપણે ખરેખર એકલા હોઈએ છીએ ખરા? સવાલ જ નથી. ટોળાંઓના ટોળાંઓ શ્વસી રહ્યા હોય છે આપણા શ્વાસમાં.
હનુમાન ચાલીસા કે ધ્યાન કે યોગ કે મંદિરનો ઘંટારવ કર્યા પછી શાંતિ જેવું સાલ્લું કંઈક લાગે તો છે પણ એ શાંતિની પ્રયોગશાળા છે. ધ્યાન કરીને ઊભા થયા પછી ચા કડવી હોય તો કડવાશ વ્યાપે છે? જો હા તો ધ્યાનનો પિરિયડ પૂરો થયો અને હવે શરુ થાય છે ખરાખરીનો ખેલ.

વિશ્વ વાઈરસ શ્વસે છે, વિશ્વ વાઈરસ વહન કરે છે, વિશ્વ વાઈરસ ફેલાવે છે... અને એ વાઈરસ ભિન્ન ભિન્ન સ્વરૂપે આવે છે: ધર્મરૂપે, શિખામણોરૂપે, પુસ્તકકારે, લાગણીરૂપે... અને મજાની વાત તો એ છે કે આપણે આ વાઈરસને ચાલક ચલાણી ક્યા ઘેરની જેમ પુન: વિશ્વમાં ફેલાવીએ છીએ.
અંગ્રેજીમાં લખતા દિવંગત ભારતીય કવિ નિસિમ ઇઝેકલે લખ્યું છે એમ 'corrupted by the world, I corrupt the world.'
વિશ્વ દ્વારા હું ભ્રષ્ટ થાઉં છું અને બદલામાં ભ્રષ્ટ કરું છું વિશ્વને. ઈઝેકલનું થવું એટલે આપણું વાઈરસવાળું થવું અને વાઈરસગ્રસ્ત કરવું.

જેમ કમ્પ્યૂટરમાં વાઈરસોની ભરમાર છે એમ આપણા જીવનમાં પણ કંઈક એવું જ છે. કમ્પ્યૂટરના વાઈરસો કમ્પ્યૂટરને કરપ્ટ કરે છે, હેન્ગ કરે છે, લોચા મરાવે છે અને ક્યારેક તો સાવ ઠપ્પ.
બસ, ડિટ્ટો જ્યારે વિશ્વ અને વિશ્વના વાઈરસો આપણામાં પ્રવેશી જાય છે ત્યારે કંઈક આવું જ થાય છે. કમ્પ્યૂટરનાં ક્લિનિકો છે અને આપણાં? યહીં સે મઝે કી બાત શુરુ હોતી હૈ. આપણાં ક્લિનિકો ક્યા? પુસ્તકો? ધર્મગુરુઓ? મિત્રો? મોજ-મજાના સાધનો? સેક્સ? ઈડિયટ બોક્સ? સંસ્કારો?

કહે છે કે પુસ્તકો શ્રેષ્ઠ શાતા આપવાનું કાર્ય કરે છે. વાત આંશિક રીતે સત્યથી નજીક છે. ચવાયેલા ગુરુઓની વાતો સાંભળવા કરતાં ચવાયેલાં પુસ્તકો ઓછા વાઈરસપ્રદ છે. પણ એક પુસ્તક આમ કહેશે, બીજું તેમ. જેવો લેખક એવો એનો દ્રષ્ટિકોણ અને લેખક પણ આ વિશ્વમાં શ્વસતો જીવ છે, બાબા રણછોડદાસ!

એટલે એ પણ ઈઝેકલ કહે છે એમ corrupted by the world and corrupting the worldના વિષચક્રમાં ફસાયેલો જીવડો જ છે. કોઈ ગેરંટી નથી કે તમે વાંચેલાં પુસ્તકો કે વાંચી રહેલાં કવિઓ-લેખકો ખરેખર એન્ટિ વાઈરસનું કામ કરી રહ્યાં હોય.
નાઉ ઓવર ટુ ધર્મ એન્ડ ધર્મગુરુઓ. વાઈરસગ્રસ્ત માણસ સદીઓથી એન્ટિવાઈરસ તરીકે ધર્મમ્ શરણમ્ ગચ્છામિની દશામાં જીવ્યો છે. ત્રસ્ત અને ગ્રસ્ત કાળા માથાંના ધોળા થઈ ગયેલા વાળવાળા માનવીને લાગે છે કે ધર્મ અને ધર્મગુરુઓ એના જીવનમાં પ્રવેશેલા વાઈરસનો ખાત્મો બોલાવી દેશે... પછી એ હેન્ગ નહીં થાય અને એવું કામ કરશે એવું કામ કરશે કે નોટો અને શાંતિનો વરસાદ વરસશે.

કાર્લ માકર્સ અદ્ભુત વાત કહી ગયો. ધર્મ અફીણ છે અને તમારે સમૂહોને, સમાજોને, ભીડને એક તાંતણે ઊંઘતી રાખવી હોય, મદહોશ રાખવી હોય તો એ ટોળાઓને ધર્મરૂપી અફીણને રવાડે ચડાવી દો...
મિત્રો એન્ટિ વાઈરસ બની શકે? આ વાતમાં દમ છે. આપણી વાઈરસવાળી વાતના પરિપ્રેક્ષ્યમાં મિત્રની નવી વ્યાખ્યા કરવી પડશે. મિત્ર એ કે જે વાઈરસ ન ફેલાવે. મિત્ર એ કે જે એન્ટિ વાઈરસ ન બની શકે તો ચાલશે, પણ તમે જે છો, જેવા છો એવા સ્વીકારી તમને તમારી રીતે વાઈરસ પ્રૂફ બનવામાં મદદ કરે...

થોરોના શબ્દોમાં કહીએ તો એવા મિત્રો જે માને છે કે મિત્ર માટે સારામાં સારું એટલું જ કરી શકું કે એનો મિત્ર રહી શકું. હવે એવા મિત્રો ક્યાંથી લાવવા? અને મિત્રો એટલે મિત્રો, એમાં 'સાચા' મિત્રો એવું વિશેષણ લગાવવાની જરૂર ખરી? મિત્રો સાથેની ગોષ્ઠિમાં જાણે અજાણે એક મજબૂત એન્ટિ વાઈરસ તમે સ્વયં બનાવી રહ્યા હો છો... એવો એન્ટિ વાઈરસ કે જે તમને વિશ્વથી અને વિશ્વના વાઈરસોથી સુરક્ષિત રાખે. મિત્રો એન્ટિ વાઈરસ બની શકે છે, જો...

અને સેક્સ? કાર્લ માકર્સ માત્ર ધર્મને જ અફીણ નહોતો ગણતો... સેક્સ પણ એ જ ક્રમમાં મૂકી શકાય. છુટવા માટે, ભાગવા માટે, ભૂલી જવા માટે કાં તો દારૂ પીઓ, સંપ્રદાયવાળા કહેવાતા ધર્મ અને ધર્મવાળા કહેવાતા અધ્યાત્મ અથવા અધ્યાત્મવાળા કહેવાતા ઈશ્વરલાલને શરણે જાઓ અથવા સેક્સમાં મગન હો કે હરિ કે ગુન ગાવ...

તાત્વિક રીતે બધું એક જ છે, એક જ છે, અને એક જ છે અને ટીવી જેવો ખતરનાક વાઈરસ કોઈ નથી. એક ઇડિયટ બોક્સમાંથી સોથી વધારે વાઈરસો ચેનલો સ્વરૂપે ૨૪ બાય ૭ કલાક મારો ચલાવી રહ્યા છે. મને તો ઘણીવાર ટીવી બંધ હોય ત્યારે પણ મારા ટીવીવાળા રૂમમાં આ વાયરસો ઘૂમતા, ભટકતા, ભટકાતા, વાઈબ્રેટ થતા દેખાય છે, મચ્છરોની જેમ. આ કદાચ મારો ચિત્તભ્રમ હોઈ શકે છે પણ કરડેલા વાઈરસોના ચાંઠા તમને બતાવી શકું છું...

કૈસી મજબૂરી હૈ યે હાય! જેને આપણે એન્ટિ વાઈરસ માનીએ છીએ એ જ વાઈરસ? તમારો એન્ટિ વાઈરસ કોણ છે? કોણ છે જે તમે જેવા છો એવા સુરક્ષિત રાખી શકે? કોણ છે જે તમને અકબંધ, ગડીબંધ સાચવી શકે? સવાલો કરવા સહેલા છે અને જવાબો મેળવવા એટલા જ અઘરા. મજાની વાત તો એ છે કે મારી પાસે સવાલો છે, જવાબો નથી અને મને રેડીમેડ જવાબોમાં રસ પણ નથી.

કોણે કહ્યું હતું કે quality questions create quality life? જેણે પણ કહ્યું છે સત્ય જ કહ્યું છે. પ્રશ્નો ગુણવત્તાવાળા હશે તો જવાબો જ્યારે મળશે ત્યારે ચીલાચાલુ, આલતુ-ફાલતુ, રૂઢિઓના વાયુ વિસર્જનથી ગંધાતા નહીં જ હોય... એ હશે ગુણવત્તાસભર... એ હશે ખરું એન્ટિ વાઈરસ? તમારો એન્ટિ વાઈરસ કોણ છે?'લાસ્ટ બટ નોટ ધ લસ્ટિ: 'થ્રી ઇડિયટ્સ' ફિલ્મમાં વાઇરસ (બોમન ઇરાની) વાઇરસ છે કે એન્ટિ વાઇરસ?

6.10.11

ગુડનેસ @ આપણી ફુરસદે!


આપણે અન્ય પાસેથી મદદ કે સમયની અપેક્ષા રાખતાં હોઇએ છીએ આપણી જરૂરિયાતે 
અને આપણે અન્યને મદદ કરવા, એની પ્રત્યે ‘ગુડનેસ’ દર્શાવવા તૈયાર હોઇએ છીએ 
આપણી ફુરસદે !

આપણે અન્ય તરફ સારપ એની જરૂરિયાતે બતાવીએ છીએ 
કે આપણી ફુરસદે? 

આપણા ટાઇમ-મેનેજમેન્ટમાં, 
આપણા મિત્રો, સ્નેહીઓ માટે એની જરૂરિયાતે સમય ફાળવવાની બાબત ધ્યાનમાં લઇએ છીએ? 
એક જલ્દીથી ન પકડાય એવી માનસિકતા ડેવલપ થઇ રહી છે, 
‘આપણી ફુરસદે ગુડનેસની’. 

સાચો મિત્ર/સ્નેહી કોને ગણવો એ જો સમસ્યા હોય 
તો એ જોવું કે 
એની તમારા માટેની ગુડનેસ એની ફુરસદે છે કે તમારી જરૂરિયાતે? 


 

પોતાને ભવિષ્યમાં તિહાર જેલમાં જોતાં સાંસદો નો ઠરાવ ! જેલમાં ફોર બેડરૂમના લકઝુરિયસ ફલેટ બનશે !


લોલમ-lol - અધીર અમદાવાદી
એક સંસદ સભ્યે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 
તિહાર જેલ અપગ્રેડેશન પ્રોજેક્ટને ટોચના નેતાઓનું સમર્થન છે 
અને વિવિધ પક્ષો દ્વારા આ અપગ્રેડેશન પ્રોજેક્ટ માટે સલાહ સૂચનો પણ આપવામાં પણ આવ્યાં છે. 
કોર્પોરેટ ગૃહોનું પીઠબળ ધરાવતાં એક પક્ષે તો તિહાર જેલને અતિ આધુનિક 
ફાઇવસ્ટાર હોટેલ કેટેગરીમાં ફેરવી નાખવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે કામ કરવા 
એક કોર્પોરેટ એમઓયુ કરવા તૈયાર છે એવો 'એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ' પત્ર પણ રજૂ કર્યો હતો.
આ કમિટીની સ્થાયી સલાહકાર સમિતિમાં મેમ્બર તરીકે તિહાર જેલમાં હોય 
તેવા સંસદ સભ્યનો સમાવેશ કરવાની ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 
અને તાત્કાલિક સર્વાનુમતે કલમાડીને આ કમિટીમાં સમાવવામાં આવ્યા હતા.

આમાં સો કરોડ સુધીનાં કૌભાંડ કરનારને ટુ બેડરૂમ
એક હજાર કરોડ સુધીનાં માટે થ્રી બેડરૂમ 
અને એક હજાર કરોડથી ઉપરના કૌભાંડકારીને ફોર બેડરૂમ ફલેટ એલોટ કરવા માટે 
જરૂરી બંધારણીય ફેરફારનો ઠરાવ ચોમાસુ સત્રમાં પસાર કરી દેવામાં આવશે.



આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો
    
લેખક ના બ્લોગ પર જવા અહીં ક્લિક કરો

3.10.11

શ્રાદ્ધ ના ભોજન ની કથળતી ક્વોલીટી પર એક કાગડા નો કકળાટ !

લોલમ-lol - 
સંદેશ  

તાજેતરમાં મરનાર ઘણાં ડોસા-ડોસીઓને 
પિઝાભાજીપાઉંથી લઈને પાણીપૂરી જેવી આઇટમ ભાવતી હોવાં છતાં 
અફસોસ એ વાતનો છે કે કાગવાસમાં કોઈ અમને પિઝા નથી નાખતું. 
સૌરાષ્ટ્ર તરફના અમારા મિત્રો પણ કહે છે કે કાગવાસમાં કોઈ ગાંઠિયા નાખતું નથી !

તમે નહીં માનોપણ અમારે આ બધો હિસાબ તમારા વડીલોને આપવો પડે છે.
 શ્રાદ્ધપક્ષ પતે એટલે અડધો દિવસ રજા રાખી અમે રિપોર્ટ તૈયાર કરીએ છીએ. 
એ રિપોર્ટ પહોંચે એટલે મહિના સુધી તો ઉપર ધમાચકડી મચી જાય છે !

આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો
    
લેખક ના બ્લોગ પર જવા અહીં ક્લિક કરો

કાઠિયાવાડ કે ગાંઠિયાવાડ !

 મસ્તીનાં પૂર - સાંઈરામ દવે

(સંદેશ-અર્ધ સાપ્તાહિક )

                                સાંજ પડયે દોઢ કરોડના ચા-ગાંઠિયા ફાકી જતા અમે બધાય 
કોઈ પણ ડખાનું સમાધાન ચા-ગાંઠિયાથી કરીએ છીએ 
ને વળી કોઈ ચા-ગાંઠિયાનો વિવેક ન કરે તો ડખો પણ કરીએ છીએ !

મારા ગોંડલ ગામમાં ચંદુ નામે એક ભુક્કા કાઢી નાખે એવો ગાંઠિયાવાળો વસે છે. 
રોજ રાત્રે અમારા જેવા કેટલાય નિશાચરો 
અને ભ્રમણ નક્ષત્રમાં જન્મેલા અતૃપ્ત જીવોની ભૂખને ચંદુના ગાંઠિયાથી મોક્ષ મળે છે. 
ઐશ્વર્યાના પોસ્ટર પાસેથી નીકળો અને જેમ એને ટીકી ટીકીને જોવી જ પડે 
એવી જ મોહકતા ચંદુના ગાંઠિયામાં છે. 
એની રેંકડી પાસેથી નીકળો એટલે ગાંઠિયા ખાવા જ પડે ! 
આ મારી ચેલેન્જ છે અને અનુભવ પણ !

મારી તો કલ્પના છે કેઇ.સ. ૨૦૨૦માં ભારત સરકાર 
બસ્સો કરોડની ગાંઠિયાની યોજના વહેતી મૂકે તો નવાઈ નહીં. 
વિશ્વના તમામ દેશોમાં ગુજરાતના ગાંઠિયા એક્સપોર્ટ કરવા માટે 
કેબિનેટમાં ચટણીમંત્રીમરચાંમંત્રી અને ગાંઠિયા વિકાસમંત્રીની નિમણૂક થશે !

હું આપું ગામડાં બે-ચારદિલને મોજ આવે છે,
કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે.


                                 આખો લેખ વાંચવા અહી ક્લિક કરો.... 

કાગડા કોમ્યુનિટીનો પિતૃપદેથી V.R.S લેવાનો નિર્ણય !

મસ્તીનાં પૂર - સાંઈરામ દવે

(સંદેશ-અર્ધ સાપ્તાહિક )

તમે માણસો કયા બેઇઝ ઉપરથી અમને પિતૃઓ ગણો છો
આ મુદ્દે અમારા પક્ષીસમાજમાં ખૂબ મોટા ઝઘડાઓ થઇ ગયા છે. 
એક તો એકેય બાજુથી તમે લોકો કાગડા જેવા લાગતા નથી. 
કાગડા હોવાનો પ્રથમ નિયમ એ છે કે જેવા અંદર હો એવા જ બહાર દેખાવું પડે
અને જે ગુણ તમે કદી આત્મસાત્ કરી શકતા નથી. 
ઊલટાનું તમે તો સફેદ કપડાં પહેરીને કાળા ધંધા આદરો છો. જે ગુણ બગલા સાથે મળતો આવે છે. 
તો આપ સર્વે મનુષ્ય સમાજને વિનંતી છે કે બગલા અથવા વાંદરાને આપ ખીર ખવડાવો ! 

 તમારા પિતૃઓની તો ખબર નથી 
પરંતુ ગયા ભાદરવે તમારી ભેળસેળવાળી ખીરથી 
અમારા ૨૧૫ જેટલા કાગડાઓ અવસાન પામીને પિતૃ થઇ ગયા !

આખો લેખ વાંચવા અહી ક્લિક કરો....