2.7.10

હું જ કેમ?!

ચેપી લોહીના કારણે લાગુ પડેલા એઇડ્સથી જગવિખ્યાત વિમ્બલડન પ્લેયર
આર્થર એશ મૃત્યુ ભણી ખેંચાઇ રહ્યા છે એ જાણી,
આખી દુનિયામાંથી એમના ચાહકો એમનો પત્ર દ્વારા સમ્પર્ક કરી રહ્યા હતા. 
એમાંથી એકે લખ્યું, 
આવા ભયાનક રોગ માટે ઇશ્વરે તમને જ શા માટે પસંદ કર્યા ?
આર્થર નો આ રહ્યો જવાબઃ
દુનિયા મા સરેરાશ પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે, 
એમાંથી પચાસ લાખ ટેનિસ રમતાં શીખે છે... 
એમાંથી પાંચ લાખ પ્રોફેશનલ ટેનિસ રમવાનું શીખે છે.... 
એમાંથી પચાસ હજાર ક્વૉલિફાઇડ પ્રોફેશનલ તરીકે રમવા પામે છે....
એમાંથી  પાંચ હજાર ગ્રાન્ડ સ્લેમ સુધી પહોંચે છે..... 
એમાંથી માંડ પચાસ વિમ્બલ્ડન સુધી પહોંચે છે..... 
એમાંથી ફક્ત ચાર સેમી ફાઇનલ સુધી, 
અને ફક્ત બે ફાઇનલ સુધી પહોંચે છે...
જીતીને જ્યારે વિજેતા તરીકે ટ્રોફી મારા હાથમાં હતી 
ત્યારે મેં ઇશ્વરને કદી કહ્યું ન્હોતું- 
" હું જ કેમ ? "
તો પછી આજે જ્યારે પીડાગ્રસ્ત છું 
ત્યારે ય 
મારાથી ઇશ્વરને એમ કેમ કહેવાય કે  
" હું જ કેમ ?! "

ટિપ્પણીઓ નથી: