23.9.09

તમારા બધા ઇ-મેઇલ્સનો બૅકઅપ લો આસાનીથી !
(આઉટલૂક એક્સપ્રેસ માટે)

આઉટલૂક એક્સપ્રેસ (OE) માં કોઇ ઇ-મેઇલને તમારા કમ્પ્યુટરના કોઇક ફોલ્ડરમાં સેવ કરવાની રીત સહેલી છે: જે-તે ઇ-મેઇલને સિલેક્ટ કરો, ટોપ પર આવેલા બટન્સમાંથી ફાઇલ બટન પર ક્લિક કરી, સેવ એઝ... ઓપ્શન પર ક્લિક કરો, જે ફોલ્ડરમાં તેને સાચવવો છે એ ફોલ્ડરને ડ્રોપ-ડાઉન નકશામાંથી ખોળી, તેના પર ક્લિક કરી, સેવ કરવાનું કહો. બસ, તમારી એ ટપાલ ની ત્યાં કૉપી બની જશે.

મુંઝવણ ની શરુઆત ત્યારે થાય છે, જ્યારે તમે એક થી વધુ ઇ-મેઇલ્સની કૉપી કરવા ઇચ્છતા હો!

તમારા ઇન-બોક્ષમાં 100/200 મેઇલ્સ હોય ને એને તમે સાચવવા ઇચ્છતા હો તો ... તો શું દરેકે-દરેક મેઇલ પર “ક્લિક-ફાઇલ-સેવ એઝ- સેવ” ની વાર્તા કરવાની?
આ તો ના પોસાય, બૉસ.
અલબત્ત, નેટ પર કદાચ એવા પ્રોગ્રામ મળી જાય જે તમારું આ કામ ઉપાડી લે, પણ હું તો અહીં એવી ટ્રીકની વાત કરવા માંગુ છું જેમાં કોઇ પણ એક્સટ્રા સાધન વગર, OE ની ઇન્-બિલ્ટ સુવિધાઓની મદદથી જ, તમે તમારા ઇનબોક્ષની તમામ ઇ-મેઇલ્સનો બેકઅપ લઇ શકશો. આ માટે આપણે OE ની forward mail as attachment સુવિધાનો (દુર?)ઉપયોગ કરીશું.

તો રેડી?

સૌ પ્રથમ તો OE માં ઇન-બોક્ષ પર ક્લિક કરો, જેથી એમાં રહેલી બધી ઇ-મેઇલ્સ જોવા મળશે. કોઇ એક ઇ-મેઇલ પર ક્લિક કરી, ત્યારબાદ કી-બોર્ડ પર Ctrl અને A બટનો સાથે દબાવવાથી ઇન-બોક્ષની બધી ઇ-મેઇલ સિલેક્ટ થઇ જશે. ( આ માટે તમે Edit મેનુમાં Select All ઓપ્શનની મદદ લઇ શકો છો. )

ગુડ. હવે સિલેક્ટ થયેલી ઇ-મેઇલ્સ પર જ માઉસ રાખી, માઉસથી રાઇટ ક્લિક કરો. આથી દેખા દેતા મેનુમાંથી Forward As Attachment વિક્લ્પ પર ક્લિક કરો.
સમજણ પડી?

આપણે OE ને સિલેક્ટ કરેલ તમામ ઇ-મેઇલ્સ, સિંગલ ઇ-મેઇલના અટેચમેન્ટ તરીકે તૈયાર કરવાનો ઓર્ડર આપી રહ્યા છીએ!

સ્વભાવિક છે, OE બાપડું ગભરાઇ જશે. આટલી બધી ઇ-મેઇલ્સને અટેચમેન્ટ તરીકે જોડવા માટે વાર તો લાગે જ. એટલે થોડા સમય માટે તો કંઇ થઇ જ ના રહ્યું હોય એવું લાગશે. પણ ધીરજ રાખજો. OE પોતાનું કામ કરી રહ્યું હશે. તમે કેટલી ઇ-મેઇલ્સને અટેચમેન્ટ તરીકે જોડવા કહ્યું છે એ સંખ્યા મુજબ, વેઇટીંગ પિરીયડ 5 મિનીટ કે તેથી પણ વધુ હોઇ શકે છે. ફાઇનલી, New Message ટાઇટલ વાળી ઇ-મેઇલ વિંડો દેખાશે, જેમાં તમારી બધી જ ઇ-મેઇલ્સ અટેચમેન્ટસ તરીકે દેખા દેશે!

(New Message ટાઇટલ વાળી ઇ-મેઇલ વિંડો દેખા દે પણ અટેચમેન્ટસ દેખા ના દે તો ય ધીરજ ધરજો, મતલબ એ જ ગણવાનો કે OE નું કામ ચાલુ છે. બીજી એક વાત: જો એ-મેઇલ્સમાં કોઇ મેઇલ ગુજરાતીમાં-યુનિકોડમાં હશે તો OE તમને પુછશે કે ઇ-મેઇલ કઇ રીતે મોકલવી છે? યુનિકોડમાં કે Send As Is - જેમ છે એમ જ ? ત્યારે આ બીજો વિકલ્પ- Send As Is - જેમ છે એમ જ સ્વીકારવો. )

બસ, હવે ફાઇનલ સ્ટેજ: ફુલ્લી એક્ટિવ New Message ટાઇટલ વાળી ઇ-મેઇલ વિંડોમાં સૌથી ઉપર આવેલા File ઓપ્શન પર ક્લિક કરો અને Save Attachments વિકલ્પ પર ક્લિક કરો. આથી દેખા દેતી Save Attachments વિંડોમાં Browse બટનની મદદથી એ ફોલ્ડર સિલેક્ટ કરો જ્યાં તમે તમામ ઇ-મેઇલ્સ સેવ કરવા ઇચ્છો છો. ફોલ્ડર સિલેક્ટ કર્યા પછી Save બટન દબાવતાની સાથે જ, તમારી તમામ ઇ-મેઇલ્સ એ ફોલ્ડરમાં કૉપી થઇ જશે !

અને હા, આપણે જે New Message ક્રીયેટ કર્યો એને તો , ‘ગરજ સરી ને વૈદ વેરી’ ન્યાયે નાશ જ કરી નાંખવાનો છે. બસ, X બટન પર ક્લિક કરી, New Message વિન્ડો બંધ કરો. OE પુછે કે આ નવો મેસેજ સેવ કરું તો કહેજો: ઉંહું !

16.9.09

તમારા XP ને નિતનવા વાઘા પહેરાવો !


XP ના એકના એક રંગ રુપ જોઇને કંટાળ્યા છો?
એનુ એ ગ્રીન બટન, એ જ બલ્યુ ટાસ્ક-બાર , એના એ જ કલરની વિંડોઝ......

ઓકે. જો તમે પણ તમારા XP ને દરરોજ નવા નવા રુપમાં જોવા ઇચ્છતા હો તો હવે
એ કામ સહેલું છે...... તમે એક્ષ્પર્ટ હો એ જરુરી નથી.....
ડેસ્ક્ટોપ પર ખાલી જગ્યામાં રાઇટ ક્લિક કરી, PROPOERTIES પર ક્લિક કરવાથી આપણે ઇન-બિલ્ટ થીમમાં થી કોઇ એક થીમ સિલેક્ટ કરી શકીએ છીએ. પણ , અન્ય કોઇએ બનાવેલી થીમ કે વિઝયુઅલ સ્ટાઇલ XP સ્વીકારતું નથી , XP ની UXtheme.dll આમાં વિલનનો ભાગ ભજવે છે. આ વિલનને ઠીક કરવા માટે કમ્પ્યુટરના કીડાઓએ UX theme multi-patcher નામનો પ્રોગ્રામ બનાવ્યો છે. જો તમે આ ફાઇલ ડાઉનલોડ કરી, રન કરી લો તો ત્યાર બાદ XP ડાહ્યુ- ડમરું થઇને નોન-માઇક્રોસોફ્ટ થીમ કે વિઝયુઅલ સ્ટાઇલ પણ સ્વીકારવા લાગે છે, બસ! એ ઘડી થી તમારા XP ના દીદાર એવા બદલાતા રહેશે કે લોકો એ પુછવુ પડશે કે ભૈ, આ કમ્પ્યુટરની ઓપરેટિંગ સીસ્ટમ કઇ છે !
તો ચાલો, સમજી લઇએ કે આ ઓપરેશન કઇ રીતે પાર પાડીશું...
પહેલું ચરણ :
સોફ્ટપિડિયા વેબસાઇટ પરથી UX theme multi-patcher ડાઉનલોડ કરો :
http://www.softpedia.com/progDownload/UXTheme-MultiPatcher-Download-2369.html

ડાઉનલોડ થયા બાદ , ફાઇલ પર ક્લિક કરી, એને પોતાનું કામ ચાલુ કરવા દો. ઓરિજીનલ UXtheme.dll ફાઇલને ઠીક કરવા માટે વિંડોઝની File Protection System ને ટેમ્પરરી ડિસેબલ કરવાની સૂચના આવશે, ત્યારે તમને જણાવ્યા મુજબના ઓપ્શન પર ક્લિક કરવુ જરુરી છે.
બીજું ચરણ :
ક્રિએટીવ ભેજાઓએ બનાવેલી કોઇપણ નવી થીમ ડાઉનલોડ કરો. આ માટેની સાઇટ શોધવા તમે ગૂગલની મદદ લેજો. XP themes – freeware કે XP visual styles – freeware લખવાથી આવી સાઇટસ્ ની લાંબી સૂચિ તમને મળી જશે.
મારી ફેવરીટ થીમ OS XP 1.0 માટે
http://www.softpedia.com/progDownload/OS-XP-XP-Theme-Download-1045.html
પર જાવ.
કે પછી એવી જ સરસ બ્રીલીયંટ થીમ માટે
http://www.belchfire.net/index.php?automodule=downloads&req=download&code=confirm_download&id=5056
પર જાવ.


ત્રીજું ચરણ :
નવી થીમ એપ્લાય કરતા પહેલા થોડીક નાની સમજુતી:
XP તેની થીમ્સ c:/windows/resources/themes મા (એટલે કે c: ડ્રાઇવમાં windows ફોલ્ડરમાં resources સબ-ફોલ્ડરમાં themes નામના સબ-સબ ફોલ્ડરમાં) સાચવે છે. કોઇ પણ નવી થીમ માટે , અહિંયા (c:/windows/resources/themes માં) એ થીમના નામવાળી વિંડોઝ થીમ ફાઇલ રચાય છે અને થીમના નામવાળુ એક ફોલ્ડર પણ બને છે. પણ જો તમે થીમના બદલે ફક્ત સ્ટાઇલ બદલવાની ફાઇલ ડાઉનલોડ કરો તો એની ફાઇલ c:/windows/resources/themes માં ફક્ત પોતાના ફોલ્ડરમાં સચવાય છે.
તમે ડાઉનલોડ કરેલ ઝીપ ફાઇલને અન્ -ઝીપ કર્યા પછી જો એક ફોલ્ડર અને એક ફાઇલ જોવા મળે તો બંનેને c:/windows/resources/themes માં કોપી કરી દો. વધારાની ઇમેજ ફાઇલ કે અન્ય કોઇ પણ ફાઇલ પણ એ જ રીતે કોપી કરી દો.
બસ! તમારુ XP નવો દેહ ધારણ કરવા તૈયાર છે! ડેસ્ક્ટોપ પર ખાલી જગ્યામાં રાઇટ ક્લિક કરી, PROPOERTIES પર ક્લિક કરી, થીમ ની વિંડો માં ક્લિક કરો. તમે ઇન્સ્ટોલ કરેલી થીમનું નામ અહીં દેખાશે. તેના પર ક્લિક કરી, એપ્લાય કહેવાથી XP નવા રુપમાં દેખાવા લાગશે!
બીજી એક વાત: જ્યારે તમે થીમ નહીં પણ ફક્ત વિઝ્યુઅલ સ્ટાઇલ બદલવાની ફાઇલ ઇન્સ્ટોલ કરી હોય ત્યારે તે theme બટન હેઠળ નહીં પણ APPEARANCE બટન હેઠળ windows and buttons માં દેખાશે. ઘણી વાર, એક જ વિઝ્યુઅલ સ્ટાઇલમાં એક થી વધુ કલર સ્કીમ આપવામાં આવી હોય છે જે APPEARANCE બટન હેઠળ COLOR SCHEME માં દેખાશે.

20.7.09

ઉર્દુ ગઝલોની દુનિયામાં એક લટાર

યાહૂ ઇ-મેલ ગ્રુપ ebazm* માં અંગ્રેજી લિપિમાં લખાઇને આવતી ઉર્દુ ગઝલોને જોઇને થતું કે આને દેવનાગરીમાં વાંચ્યા પછી જ મઝા આવે.. એટલે નવરાશમાં આ લિપિ-રુપાંતરણ નું કામ કર્યું છે. ઇ-મેલમાં આવતી ગઝલો અંગ્રેજી લિપિમાં લખાઇ હોવાથી ભુલ થઇ હોવાની ગેરંટી છે..

[*ebazm-subscribe@yahoogroups.com ]


परवेज़ जालन्धरी

जिनके होठों पे हँसी पाँवमें छाले होंगे
हाँ वही लोग तुम्हे ढुँढनेवाले होंगे

मय बरसती है फज़ाँओंपे नशा तारी है
मेरे साकीने कहीं जाम उछाले होंगे

शमा ले आये हैं हम जल्वा गहे जानाँ से
अब तो आलम में उजाले ही उजाले होंगे

हम बडे नाज़ से आये थे तेरी मेहफिलमें
क्या खबर थी लबे-इज़्हार पर ताले होंगे

उनसे मफ्हूमे-गमे-ज़िस्त अदा हो शायद

अश्क जो दामने-मिजगाँ में संभाले होंगे

====================================
मुज़्ज़्फर वारसी
माना के मुश्ते-खाक से बढकर नहिं हूं मैं,
लेकिन हवा के रहमो-करम पर नहिं हूं मैं


इंसान हूं धडकते हुए दिलपे हाथ रख,
यूं डुबकर न देख समन्दर नहीं हूं मैं


चेहरे पे मल रहा हूं सियाही नसीब की
आइना हाथमें है सिकन्दर नहीं हूं मैं


गालिब तेरी जमीं में लिख्खी तो है गजल.
तेरे कद-ए-सूखन के बराबर नहीं हूं मैं


----------------------------------------------------
एहमद फराज़

मेरे वजूदकी मुझमें तलाश छोड गया
जो पुरी न हो कभी ऎसी आस छोड गया



यही करम नवाज़ी उसकी मुझपे कम है क्या
के खुद तो दुर है यादें तो पास छोड गया



जो ख्वाहिशें थीं कभी हसरतोंमें ढल गयीं अब
मेरे लबों पे वो एक लब्ज़ काश छोड गया



ये मेरा ज़र्फ है एक रोज़ उसने मुझसे कहा
के आम लोगोंमें एक तुझको खास छोड गया



खीज़ाओंसे ईसी लिये तो नफरत है फराज़
इन्हीं रुतोंमें मुझे वो उदास छोड गया



---------------------------------------------------------
एहमद फराज़

तुम भी खफा हो लोगभी बेरेहम है दोस्तों
अब हो चला यकीं के बुरे हम है दोस्तों

किस्को हमारे हालसे निस्बत है क्या करें
आँखें तो दुश्मनोंकी भी पुर नम है दोस्तों

अपने सिवा हमारे ना होने का गम किसे
अपनी तलाशमें तो हम ही हम हैं दोस्तों

कुछ आज शामसे ही है दिलभी बुझा बुझा
कुछ शहर के चिराग भी मध्धम है दोस्तों

इस शहर-ए-आरझु से अब बाहर निकल चलो
अब दिलकी रौनकेंभी कोइ दम है दोस्तो

सब कुछ सही ‘फराज़’ पर इतना ज़रुर है
दुनियामें ऎसे लोग बहुत कम है दोस्तो

==============================



परवीन शाकिर

गये मौसममे जो खिलते थे गुलाबोंकी तरह
दिलपे उतरेंगे वही ख्वाब अज़ाबोंकी तरह


राखके ढेरपे अब रात बसर करनी है
जल चुके हैं मेरे खेमे मेरे ख्वाबोंकी तरह


सत-ए-दिल के आरीज़ हैं गुलाबी अब तक
अवलें लम्हों के गुलनार हिजाबों की तरह


वो समन्दर है तो फिर रुह को शादाब करें
तश्नगी क्यों मुझे देता है सराबोंकी तरह
गर मुमकिन है तेरे घरके गुलाबोंका शुमार
मेरे रिसते हुए ज़ख्मोंके हिसाबोंकी तरह


याद तो होगी वो बातें तुझे अबभी लेकिन
शेल्फमें रख्खी हुइ बन्द कितबोंकी तरह


कौन जाने के नये सालमें तु किसको पढे
तेरा मयार बदलता है निसाबोंकी तरह


शोख हो जाती है अबभी तेरी आँखोंकी चमक
गाहे गाहे तेरे दिलचश्प जवाबों की तरह


हिज्र की शब मेरी तन्हाईपे दस्तक देगी
तेरी खुश्बो मेरे खोये हुए ख्वाबोंकी तरह
========================================
मैं जो मेहका तो मेरी शाख जला दी उसने
सब्ज़ मौसममें मुझे ज़र्द हवा दी उसने

पेहले एक लम्हे की ज़ंज़ीर से बाँधा मुझको
और फिर वक्त की रफ्तार बढा दी उसने

मेरी नाकाम मुहब्बत मुझे वापस कर दी
यूँ मेरे हाथ मेरी लाश थमा दी उसने
जानता था के मुझे मौत सुकूँ बक्शेगी
वो सितमगर था सो जीनेकी दुआ दी उसने

उसके होने से थीं साँसें मेरी दुगनी शायद
वो जो बिछडा तो मेरी उम्र घटा दी उसने

15.2.09

બાળક બની રહો, વહી શકાય તેટલું વહો

બાળક બની રહો. ગણતરી ન કરો.
સામે જે સ્થિતિ છે તેનો બાળકની જેમ સ્વીકાર કરો.
એમ ન કરી શકો તો ન કરો. પણ મુંઝાવ-ગુંગળાવ નહિ.
ચાલતા રહો.
ચાલતાં-ચાલતાં પડો તો રડો .
રડવામાં નાનમ કેવી?
રડતાં-રડતાં આસપાસ જુઓ.કોઇ ઉભા કરવા ન આવે તો કંઇ નહીં. હાથ ના લંબાવે તો ય શું?

રડવાનું ભુલી જઇને જાતે ઉભા થાઓ અને ફરી ચાલવા માંડો.
આ બધું ભલે સ્થિર દેખાય પણ કશું સ્થિર નથીને શાશ્વત પણ નથી.
બધું... હા બધું જ. આ હું, તમે અને આપણે સૌ અસ્થાયી, અસ્થિર અને ગતીશીલ છીએ.
સઘળું સરતું રહે છે.
આપણે પણ એ સઘળાની સાથે મોજથી ચાલીએ, ગતિશીલ રહીએ, પાછળ ન રહી જઇએ.
પાછળ રહી જનારના મનમાં અસંતોષ અને ઇર્ષા જન્મે છે.
ચાલી ન શકો તો આનંદથી ઉભા રહો.
આજે ઉગેલો સૂર્ય આજે જ આથમી જવાનો છે, પછી એ સુખનો હોય કે દુ:ખનો.
બધું સતત વહી રહ્યું છે, દુ:ખ પણ.
આ ચલ અને અચલ સઘળું વહી રહ્યું છે.કોઇ સ્થલમાં વહે છે તો કોઇ સમયમાં.
તમે પણ મારી માફક વહો છો, પ્રવાહ વચ્ચે અને સાથે.
એક સ્થળે ખોડાઇને ઉભા રહેવાની જીદ શા માટે?
તમે પુછશો- વહેવાની પણ જીદ શા માટે?
વાત સાચી છે : જીદ ન કરો. ખોડાયું તે ઉથલી પડવાનું. તરશે તે તણાશે. તો શું કરવું?
મનને ગમે તે કરો. વહેતા પ્રવાહની સાથે વહી શકાય તેટલું વહો.

[ડૉ. રમેશ ર. દવેની વાર્તા 'ત્યાં જ ઉભી છું આજ લગી' નો રઘુવીર ચૌધરીએ 'વિશેષ'- દિવ્ય ભાસ્કરમાં કરાવેલા આસ્વાદમાંથી]

12.1.09

એક હમ હી નહિ, દુનિયા સે ખફા ઔર ભી હૈ...

પ્રથમ લેખમાં જાણિતા લેખક રસ્કીન બોન્ડ ના વિચારો છે.

હું કોઇ ધાર્મિક માણસ નથી, પણ આઘ્યાત્મિક છું. આઘ્યાત્મિક હોવા માટે ધાર્મિક હોવું જરૂરી છે, એવું મને નથી લાગતું. અઘ્યાત્મ પોતાનામાં જ અલગ અને અદ્ભુત અસ્તિત્વ છે. એ પૂજા-પાઠ અને કઠોર નિયમોની પાર છે. આખી જિંદગી ગુજરાન ચલાવવા મારે કામ કરવું પડયું, એટલે પહાડની ટોચે બેસી ઘ્યાન કરવાનો આનંદ ન લઇ શકયો કે એ રીતનો આઘ્યાત્મિક પણ ન બની શકયો. મારે માટે અઘ્યાત્મનો સામાન્ય અર્થ છે ‘સ્વ’ની સાથે અને દુનિયાની સાથે શાંત અવસ્થામાં હોવું.

પરેશાન કરી નાખે એવા સંજૉગોમાં પણ ચીડિયા ન થઈ જવું કે ગુંગળાઈ ન જવું એ બહુ મુશ્કેલ કામ છે.પરંતુ હવે હું આ કે આવા બધાંથી વિચલિત નથી થતો અને શાંત રહું છું. શાંતિનો આ મેળ ધીમે ધીમે તમારી ભીતર આવે છે.

મને આ સંતુલન પ્રકòતિમાંથી મળ્યું છે. હું દ્રઢપણે માનું છું કે પ્રકૃતિની નજીક હોવું એ ઐક આઘ્યાત્મિક અનુભવ છે. લેખકોમાં મારો વિશેષ પ્રેમ થોરો માટે છે, જેઓ પ્રકૃતિની વરચે રહેવા જતા રહેલા. અને વડ્ર્ઝવર્થ જેવા કવિઓ માટે પણ લગાવ ખરો. જિંદગી ઘણી વધારે તાણભરી બની જાય અને દુનિયા જયારે મારા પર હાવી થઇ જાય ત્યારે વૃક્ષો વરચે ટહેલવું અને પ્રકૃતિ સાથે જોડાવું મદદગાર સાબિત થાય છે. મને મારા ‘સ્વ’ની સાથે હોવું, પ્રકòતિના પરિવેશમાં ટહેલવું ગજબની શાંતિ આપે છે.
આ એકાંતમાં પોતાની જાત સાથે સંવાદ કરવો એ એક અનોખો અનુભવ હોય છે. ત્યારે મને લાગે છે કે હું ઇશ્વરની સાવ સમીપ છું. વાયા પ્રકૃતિ થઇને ઇશ્વરને પામવાનો આ રસ્તો મને આવા જ એક અનુભવ દરમિયાન મળેલો.
આ તો કોઇ કિંમત ચૂકવ્યા વગર મળતો ઇશ્વરનો સ્નેહ છે, પરંતુ તમે એનો આનંદ લેવાનું નહીં જાણતા હો તો કયારેય એનો અનુભવ નથી કરી શકતા. તમે જે કંઇ કરતા હો એમાં આનંદ લેતા હો તો એમ કરવું તમને શાંત બનાવે છે અને તમે તમારા આંતરિક ‘સ્વ’ સાથે સંપર્કમાં આવો છો.

બીજો લેખ આજના દિવ્ય-ભાસ્કરની પૂર્તિમાં મળ્યો:

આટલી બધી બહિર્મુખતા શા માટે?

Dipak Soliya



રાજકારણથી માંડીને ધર્મ સુધીની તમામ બાબતો માણસને બહિર્મુખી બનાવી રહી હોય ત્યારે એક નજર અંદરની તરફ નાખવા જેવી ખરી.ડિસ્કોથેકમાં ઝૂમી રહેલા જુવાનિયાઓ કે વરઘોડામાં સરેઆમ નાચી રહેલા જાનૈયાઓ કે ધાર્મિક સમારંભમાં ડોલી ઊઠતાં ભકતો વરચે તાત્ત્વિક ભેદ ખરો?

ધાર્મિક મેળાવડા પર જ ઘ્યાન કેન્દ્રિત કરીએ તો એટલું સમજાય કે આ પ્રકારની સમુહસાધનામાણસની આઘ્યાત્મિક કરતાં સામાજિક જરૂરિયાત પૂરી કરવામાં વધુ મદદરૂપ બનતી હોય એવી શકયતા તો ખરી જ.

આમ તો માણસને વધારે પડતો બહિર્મુખ બનતો રોકવાનું કામ ધર્મોએ કરવાનું હોય, પરંતુ સામાન્ય રીતે ધર્મોપોતે જ માણસને બહિર્મુખ બનવતા હોવાનું જોવા મળી રહ્યું છે.

આરતીની ઝાલરમાં કે હજયાત્રા યા વેટિકનપ્રવાસમાં મળતો આનંદ પણ સુંદર હોય છે, પરંતુ બાહ્ય ધર્મ અને આંતરિક આઘ્યાત્મિકતાની ભેળસેળ ટાળવા જેવી ખરી, કારણ કે અઘ્યાત્મ માણસને અંદરની દુનિયામાં પ્રવેશવા માટે પ્રેરતી બાબત છે. મીરાં, કબીર કે નરસિંહ ધાર્મિક કરતાં આઘ્યાત્મિક આરાધકો હતાં. ેમને ભકિત માટે સમુહની જરૂર નહોતી. એ અંતર્યાત્રાનાં યાત્રીઓ હતાં. એમાં હુંઅને એ બે સિવાય બીજા કોઈની, સંગઠનની, ટ્રસ્ટની, સંપ્રદાયની, ધર્મયાત્રાની, ટૂંકમાં, કોઈ પણ પ્રકારના બાહ્ય અવલંબનની જરૂર પડતી નહોતી.
પહેલી વાત તો એ કે અંતર્મુખ હોવું સારું કે બહિર્મુખ હોવું સારું એવો કોઈ સવાલ જ નિરર્થક છે. બન્નો અંતિમો ટાળવાં જેવાં છે. જરૂર છે સંતુલનની.

એ જ રીતે માણસ જાગૃત અવસ્થા દરમિયાન સતત બહિર્મુખી જ બની રહે એ પણ ઠીક નથી. પણ મોટા ભાગના લોકોનું મન ઉઠવાથી સૂવા સુધીના ગાળામાં સતત બાહ્યજગતના વિચારોમાં પરોવાયેલું રહે છે. રાજકારણ છોડો, ધર્મો પણ બાહ્ય જગતની વાતો કરતા હોય છે. એક ખતરનાક સરચાઈ એ પણ છે કે માણસને તેના માંયલા સાથે જોડવાને બદલ ધર્મોસંસારને જાણે તોડવા બેઠા હોય એવો માહોલ છે.આપણે તો ચારે તરફ ધમધમતી બહિર્મુખતા વચાળે અંતર્યાત્રા કરવાંની છે.