7.7.12

“મનુષ્ય” ના ઉત્પાદનકર્તાની રી-કૉલ નોટીસ !!


રી-કૉલ નોટીસ
મનુષ્ય ના ઉત્પાદનકર્તા (ભગવાન) એ
 તેમણે બનાવેલા તમામ નંગો પાછા ખેંચવાની  જાહેરાત કરી છે.
ઉત્પાદન-વર્ષ ગમે તે હોય તો પણ આ નોટીસ લાગુ પડશે.
મનુષ્ય ના પ્રાથમિક અને કેન્દ્રીય ભાગ
હ્રદયમાં જોવા મળેલી ગંભીર ખામી ને પગલે આ નિર્ણય લેવાયો છે.
આ ખામી સૌ પ્રથમ બનાવાયેલા નંગો આદમ અને ઇવ માં ઉદભવી હતી,
જેને લીધે તેમના પરથી બનાવવામાં આવેલા બધા નંગોમાં આ ખામી ઉતરી આવી છે.
ટેકનીકલ ભાષામાં આ ખામીને
Sub-sequential Internal Non-morality
એટલેકે  SIN તરીકે ઓળખી કઢાઇ છે.

આ ખામીને લીધે સામાન્યપણે નીચેના લક્ષણો જોવા મળે છે: 
૧. મારગ ભૂલી જવો.
૨. ખોટા વચનોના ધુમાડા કાઢવા.
૩. પોતાની (સાચી) ઓળખાણ નો સ્મૃતિલોપ.
૪. શાંતિ અને આનંદ નો અભાવ.
૫. સ્વાર્થી કે હિંસક વર્તણુંક.
૬. મન નામના હિસ્સામાં મુંઝવણ યા હતાશા.
૭. ભયભિત રહેવું.
૮. વિધિઓવિધાનોમાં વધુ સમય ગાળવો.
૯. બળવાખોરી.
 
પોતાની કોઈ કાનૂની જવાબદારી ન હોવા છતાં
અને પોતાને લીધે આ ખામી ના સર્જાઈ હોવા છતાં,
આ ખામી સુધારી લેવા માટેમનુષ્ય ના ઉત્પાદક
ફ્રી સર્વિસ અને કંપની ઓથોરાઇઝ્ડ રીપેરીંગ ની સગવડ આપી રહ્યા છે.
અને ઉદારતાપૂર્વક આ રીપેરીંગનો તોતિંગ ખર્ચો ઉઠાવી લેવાની જાહેરાત કરી છે.
આ માટે વધારાની કોઈ ફી ભરવાની રહેશે નહીં .
તમે દુનિયાના કોઈ પણ સ્થળે રહેતા હો ,
રીપેરીંગ માટે તમારે નીચે દર્શાવેલ એક જ નંબર પર SMS કરવાનો રહેશે:
પ્રા-ર્થ-ના
ફોન કનેક્ટ થાય પછી ,
તમારા SIN (પાપ) ના બોજને , પસ્તાવાની  પ્રોસેસથી અપલોડ કરી મોકલી આપવો.
ત્યારબાદ, તમને મોકલી આપવામાં આવેલ ક્ષમા ને
હ્રદય ના ભાગમાં ઇન્સ્ટોલ કરી દેવી.
તરત જ SIN ખામીને દુર કરવાનું કામ શરુ થઇ જશે,
જેને લીધે અગાઉ બતાવેલ લક્ષણો ને સ્થાને

નીચે મુજબના નવા લક્ષણો જોવા મળશે:
 
૧. પ્રેમ
૨. આનંદ
૩. શાંતિ
૪. ધીરજ
૫. દયા
૬. સારપ
૭. વફાદારી
૮. નમ્રતા
૯. ખુદ પર નિયંત્રણ 
 
આ બાબતે વધુ જાણકારી મેળવવા માટે
આપને અપાયેલ ઓપરેટીંગ મેન્યુઅલ
શ્રીમદ ભગવત ગીતા જોઈ જવા વિનંતી છે.

ચેતવણી :
ઉપર મુજબના સુધારા લાગુ કર્યા સિવાય
જો મનુષ્ય કામ કરતો રહેશે  
તો મેન્યુફેક્ચર ની વોરંટી રદબાતલ ગણાશે !
એથી પણ વધુ ગંભીર વાત એ છે કે
સુધારા લાગુ  ન કરવાથી
મનુષ્ય યુનીટ અસંખ્ય જોખમો અને સમસ્યાઓથી ઘેરાઈ જશે  
અને હમેશને માટે જપ્ત થઇ જશે  !

જોખમ  
આ રીકોલ નોટીસ નો પ્રત્યાઘાત ન આપનાર
તમામ મનુષ્ય યુનિટ્સનો નાશ કરાશે
જેથી આ ખામી સ્વર્ગમાં સડો ના ફેલાવે !

ધ્યાન આપવા બદલ આભાર !
- ભગવાન

તા.ક.
જયારે પણ તક મળે ત્યારે
અન્યો ને આ અગત્યની રીકોલ નોટીસ બાબતે જાણ કરી
એમને મદદરૂપ થજો !
     



ટિપ્પણીઓ નથી: