28.2.13

અનુવાદ નો આનંદ -સુરેશ દલાલ

કવિતા  લખવી એ પણ એક પ્રકાર નો અનુવાદ છે.
એની મૂળ કૃતિ તો
પ્રગટ થઇ ને પણ
અપ્રગટ રહે છે સર્જક ના ચિત્તમાં .

હું કોઈક એક કવિ ના
કાવ્ય નો અનુવાદ કરું છું
ત્યારે હું પ્રવેશું છું
એના નોખા અનોખા વિશ્વમાં
અને એની આબોહવામાં
જીવવાનો પ્રયત્ન કરું છું
શ્વાસમાં બધું ઊંડે ઉતરી જાય , પછી 

હું મારી ભાષા ના શબ્દો ને
મારી ખુબ નિકટ બોલવું છું
અને કહું છું
કે તમે પણ
આ આબોહવામાં જીવતાં થઇને
          તમારા સહજ હાવભાવ પ્રગટ કરો.

 અનુવાદ નો મોટામાં મોટો આનંદ તો એ છે કે આપણી ચેતના એક સર્જક ની ચેતના સાથે સાથે ચાલે છે.