અવસાન નોંધની આંટીઘૂંટી
— નટવર પંડયા
અમુક લોકો ઉઠતાંવેંત સીધું જ છાપાનું છેલ્લું પાનું પકડે છે. જીવન પ્રત્યેનું તેમનું દર્શન એવું હોય છે કે આપણે પણ છાપાના છેલ્લા પાને ક્યારે છપાઈ જઈશું એની કશી ખબર નથી, માટે છેલ્લા પાનાથી જ શરૂઆત શું કામ ન કરવી!
દરેક કાર્યક્રમમાં હંમેશા પહેલી હરોળમાં જ બેસનાર જ્ઞાનીજનો કહે છે કે છેલ્લું અને પહેલું એ તો મનના કારણ છે. છેલ્લા પાનાથી શરૂઆત કરવાથી અન્ય પાના પરના સમાચારો પ્રત્યે સાક્ષીભાવ સર્જાય છે. અંતથી જ આરંભ કરો તો અંતનો ભય સતાવતો નથી. પછી મોંઘવારીના સમાચારો કે નેતાઓના નિવેદનો મનુષ્યને વિચલિત કરી શકતા નથી. છેલ્લા પાનેથી શરૂ કરવાથી માણસને દરેક દિવસ બોનસ જેવો લાગે છે કારણ કે છાપાનું છેલ્લું પાનું વાંચ્યા પછી તેને તરત જ યાદ આવે કે "ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે." હા એ તો નક્કી જ છે કે 'સવારે સવાર જ થવાનું છે.' પણ પછી શું થવાનું છે તેની કોઈને ખબર નથી.
આજની તારીખે પણ મારે આવી કોઈ અવસાન નોંધ કાળજીપૂર્વક આઠદસ વાર વાંચવી પડે છે, ત્યારે માંડ ખબર પડે છે કે આમાં કોનો હંસલો ઉડી ગયો છે ! કારણકે અવસાનનોંધ આ રીતે લખવામાં આવે છે :
" અચરતલાલ કેશવલાલ જોડાવાલા (ઉં. વ. 89), તે કેશવલાલ સાકળચંદ તથા પાર્વતીબેન કેશવલાલના પુત્ર, તે ગોકુલચંદ્ર અચરતલાલ, મથુરચંદ્ર અચરતલાલ વ્રજલાલ અચરતલાલ અને અયોધ્યાદાસ અચરતલાલના પિતા, તે દીપિકાબેન તથા ભામિનીબેનના પિતાશ્રી, તે મનહરલાલ સાંકળચંદ તથા નટવરલાલ સાકળચંદના ભત્રીજા, તે દિનેશચંદ્ર પ્રભુદાસ, વિનોદચંદ્ર પ્રભુદાસ તથા દેવચંદ્ર પ્રભુદાસના કાકા, તે જયંતીલાલ સુખરામભાઈ, ત્રીકમલાલ સુખરામભાઈ, વિશ્રામકુમાર સુખરામભાઈ તથા આનંદલાલ સુખરામભાઈના મોટા બાપુજી, તે હેમચંદ્ર લાલજીભાઈના સસરા, તે વલ્લભદાસ કરસનચંદ્રના જમાઈ ……. તારીખ 10/ 9 /2022 ને ભાદરવા સુદ તેરસને શુક્રવારના રોજ વહેલી સવારે સાડાચાર વાગ્યે કૈલાશવાસી થયા છે. પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના. "
આખો લલિતનિબંધ વાંચ્યા પછી મને એ વિચારીને આઘાત લાગે કે એક સાથે આઠદસ જણ સાગમટે ગુજરી ગયા કે શું! ફલાણાના પિતા તે ફલાણાના પુત્ર, તે ફલાણાના કાકા, તે ફલાણાના ભત્રીજા, તે ફલાણાના સસરા, તે ફલાણાના જમાઈ વગેરે વગેરે વાંચતાંવાંચતાં મૃત્યુઆંક ભયંકર રીતે વધતો જતો હોય એવું લાગે ! મને થાય કે એક સાથે આટલાં બધાં ગુજરી ગયા હોય તો આ સમાચાર અખબારના પહેલા પાને હોવા જોઈએ, એને બદલે છેક છેલ્લા પાને કેમ ? હકીકતમાં તો 'મનુષ્ય એક સ્વરૂપ અનેક' ના ધોરણે અહીં અચરતલાલને રજૂ કરવામાં આવ્યા હોય છે. જેથી લોકોને ખબર પડે કે અચરતલાલ
'કોના છોરું ને કોના વાછરૂ રે,
.. હેતે હરિનો રસ પીજીએ……
…. પણ જે શાંતિથી શેરડીનો રસ પણ પીતાં નથી તે હેતે હરિનો રસ શાના પીએ !
આ પ્રકારની અવસાન નોંધ સૌપ્રથમવાર હું નવમું ધોરણ ભણતો ત્યારે મેં વાંચેલી. પણ મને કાંઈ જ સમજાયું નહીં. મને થયું કે જો એક જ માણસ ગુજરી ગયો હોય તો આટલા બધા નામ શા માટે? કોણ ગુજરી ગયું છે તેની મને ખબર જ ન પડી એટલે હું પડોશમાં રહેતા અને બાર સાયન્સનું મેથ્સ ભણાવતા એક વડીલ સાહેબ પાસે ગયો.ઉકેલ્યા વગરના સમીકરણ જેવા તેમના ધર્મપત્ની રસોડામાં પ્રવૃત હતા. મેં સાહેબને અવસાન નોંધ બતાવીને વિનંતી કરી કે 'આમાં કોણ ગુજરી ગયું છે તે કેવી રીતે શોધવું એ સમજાવો.' સાહેબે હાથમાં નોટબુક અને પેન લીધી અને મને કહ્યું,
મેં કહ્યું,
માણસ મૃત્યુ પામે ત્યારે આવું બધું લખવામાં આવે છે તો જન્મે ત્યારે નીચે મુજબનું લખવામાં કેમ આવતું નથી ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો